SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૩ ૨) દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય. ૩) પરદ્રવ્યની સામે જોતાં રાગ જ થાય. ૪) પોતાના દ્રવ્યમાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ પાડીને જોતાં કે ગુણ-ગુણીના ભેદ પાડીને જોતાં રાગ જ થાય, વીતરાગતા ન થાય. ૫) પંચમ પરમ પારિણામિકભાવનો આશ્રય કરવાથી જ ધર્મ - વીતરાગતા થાય. આ વાત ભગવાનના ઘરની અને ભગવાન થવાની છે. વીતરાગ સર્વજ્ઞના ઘરની આ વાત દિવ્યધ્વનીમાં આવેલી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી કે સ્પર્શતું નથી અને દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય છે આ મહા સિદ્ધાંત છે. દ્રવ્યની સ્વતંત્રતાનો આ પોકાર છે. પ્ર. ૧૨ : ક્રમબદ્ધમાં કેમ ભૂલ થાય છે ? ઉ. ૧૨ : એક કહે છે કે ક્રમબદ્ધ પર્યાય હોય તો તો નિયત થઈ જાય છે, બીજો કહે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. તે બન્ને ભૂલ્યા છે. મિથ્યાદષ્ટિ છે. મિથ્યાત્વને ઉલ્ટું પુષ્ટ કરીને નિગોદનો માર્ગ બન્ને એ લીધો છે. જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે તેની દૃષ્ટિ પર્યાય ઉપરથી ખસીને આનંદમય આત્મા ઉપર છે, તેને ક્રમબદ્ધમાં રાગ આવે છે તેનો જાણનાર રહે છે. જ્ઞાન-આનંદ સ્વભાવની દૃષ્ટિપૂર્વક જે રાગ આવે છે તે રાગ દુઃખરૂપ લાગે છે, તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આનંદની સાથે દુઃખને મેળવે છે, મીંઢવે છે કે અરે ! આ રાગ દુઃખરૂપ છે - એમ ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, રાગની મીઠાસ ઊડી ગઈ છે. જેને રાગમાં મીઠાસ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. મિથ્યાત્વને તીવ્ર કર્યો છે. રાગ મારો નથી એમ કહે અને આનંદ સ્વરૂપની દૃષ્ટિ નથી તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ ! આ તો કાચા પારા જેવું વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટ કરે. પ્ર. ૧૩ : આ બધી પર્યાયો ક્રમબદ્ધ ગોઠવાઇ કેમ ? ઉ. ૧૩ : તે તે દ્રવ્યની તે તે કાળની પર્યાય યોગ્યતા અનુસાર જ થાય છે, તે તેનો સ્વકાળ છે ત્યારે થાય છે. તે થવા કાળે બાહ્ય ચીજને નિમિત્તપણાનો આરોપ આવે છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તો બીજું દ્રવ્ય ક્યાં રહ્યું ? અનંત દ્રવ્યો અસ્તિરૂપ છે તે દરેકને ભિન્ન ભિન્ન અસ્તિરૂપે માને ત્યારે શ્રદ્ધા-જ્ઞાન સાચા થશે, સમ્યગ્દર્શન થશે. પ્ર. ૧૪ : ધ્રુવ દ્રવ્યની દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય - તે કેવી રીતે કરાવે છે ? . ઉ. ૧૪ : ૧) આત્મા પરદ્રવ્યને કરી કે ભોગવી શકતો નથી એમ જાણીને પરદ્રવ્યનું કર્તા-ભોક્તાપણું છોડીને સ્વસન્મુખ થવાનું છે. ૨) વિકારનો કર્તા કર્મ નથી એમ કહીને કર્મ તરફની પરાધીન દષ્ટિ છોડાવવી છે જેથી દ્રવ્યદૃષ્ટિ થાય.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy