________________
૫૩૧ પ્ર. ૫: શું નવ તત્ત્વનો વિચાર પાંચ ઇન્દ્રિયોનો વિષય છે? નવ તત્વના વિચારકને કોનું અવલંબન છે? ઉ. ૫ નવ તત્વનો વિચાર પાંચ ઇન્દ્રિયોનો વિષય નથી, પાંચ ઇન્દ્રિયોના અવલંબને નવ તત્વનો નિર્ણય થતો નથી; એટલે વિચાર કરનાર જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયથી તો પાછો ફરી ગયો છે. હજી મનનું અવલંબન છે, પણ તે જીવ મનના અવલંબનમાં અટકવા નથી માંગતો, તે તો મનનું અવલંબન પણ છોડીને અભેદઆત્માનો અનુભવ કરવા માંગે છે. સ્વલક્ષથી રાગનો નકાર અને સ્વભાવનો આદર કરનારો જે ભાવ છે તે નિમિત્ત અને રાગની અપેક્ષા વિનાનો ભાવ છે, તેમાં ભેદના અવલંબનની રુચિ છોડીને અભેદ સ્વભાવનો અનુભવ કરવાની રુચિનું જે જોર છે તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે. પ્ર. ૬ : આત્મજ્ઞાન થવાથી એ વ્રતાદિરાગ છે એમ ભાસે છે પણ પહેલાં તો જલ્દી આત્મજ્ઞાન થતું નથી ને ? ઉ. ૬ઃ જલ્દીનો અર્થ એનો અભ્યાસ કરવો જોઈએ, રાગ શું છે? આત્મા શું છે? હું કાયમી ટકનાર ચીજ કેવી છું? વગેરે અભ્યાસ કરી જ્ઞાન કરી રાગથી ભિન્ન આત્માનો અનુભવ કરવો એ પહેલી વસ્તુ છે. આત્માને જાણ્યા વિનાના એના ક્રિયાકાંડ બધા રણમાં પોક મૂકવા સમાન છે. આત્મા અંદર આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્યતેજનો પુંજ પ્રભુ છે. તેનું જ્ઞાન ન હોય, અંતરદશાનું વેદન ન હોય ત્યાં સુધી એના ક્રિયાકાંડ બધા જૂઠા છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું દુર્લભ છે. પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. પ્ર. ૭ઃ ધર્મ પ્રાપ્ત કરવાને મારે પહેલાં શું નિર્ણય કરવો? ઉ. ૭ઃ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે એમ પહેલાં નિર્ણય કરવો જોઈએ, ભલે હજુ પહોંચી શકે નહિ પણ એના સંસ્કાર નાંખવા જોઈએ જેથી પર તરફના વલણવાળા ભાવને અનુમોદે નહિ. પહેલાં શ્રદ્ધા-જ્ઞાન સમ્યક થાય છે, પછી જ ચારિત્ર થાય. છતાં લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા એટલે એને આકરું લાગે છે. કોઈ આત્માનો અનાદર નથી પણ એ ભાવ એને નુકસાનકર્તા છે. આત્મા સ્વભાવે તો પ્રભુ છે, ક્ષણમાં પલટી જશે, એક ક્ષણની ભૂલ છે ને એક ક્ષણમાં ટાળી શકે છે. પ્ર. ૮: જીવનું મૂળ પ્રયોજન શું છે અને તેના કેટલા પ્રકાર છે? ઉ. ૮: જીવનું મૂળ પ્રયોજન વીતરાગભાવ છે; વીતરાગ ભાવના બે પ્રકાર છે. (૧) દષ્ટિમાં વીતરાગતા અને (૨) ચારિત્રમાં વીતરાગતા. પહેલાં દષ્ટિમાં વીતરાગતા થાય છે. તે ક્યારે થાય?મારાચૈતન્યસ્વભાવમાં રાગ નથી. પણ તે રાગ સાથેની એકતા તો મિથ્યાત્વનું કારણ છે તે સમ્યગ્દર્શનનું વીતરાગી દષ્ટિનું કારણ નથી. પણ તે રાગ સાથેની એકતા તો મિથ્યાત્વનું કારણ છે, અને તે રાગનો આશ્રય છોડીને સ્વભાવની એકતા કરવી તે સમ્યકત્વનું કારણ છે. એ પ્રમાણે જાણીને અભેદ સ્વભાવની મુખ્યતા કરતાં વીતરાગી દષ્ટિ પ્રગટે છે અને ત્યાં રાગનો નિષેધ સ્વયં વર્તે છે. વ્યવહારનો આશ્રય માનવો તે મિથ્યાત્વ છે, ને સ્વભાવના આશ્રયે વ્યવહારના આશ્રયનો લોપ કરવો તે સમ્યગ્દર્શન છે.