________________
૫૩૦ ઉ. ૨૦ઃ કોઈ દર્દી જ નથી. હું દર્દી છું એવી માન્યતા છોડી દેવી. હું નિરોગી પરમાત્મા સ્વરૂપ જ છું એમ
શ્રદ્ધા કરવી. આ કરવાનું છે. ૪. તસ્વનિર્ણય - ભેદશાનની વિધિ શું છે?
પ્ર. ૧: વિકાર થાય છે તે ચારિત્ર ગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્ર ગુણની પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાને જીવને આધીન રહ્યું નહિ? ઉ.૧ એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય ક્યા જ્ઞાનમાં કર્યો? ત્રિકાળી સ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ. અને જ્યાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ-દ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યક નિર્ણયનું જોર છે. પ્ર. ૨. શું આત્મા અને રાગનું ભેદજ્ઞાન કરવું અશક્ય છે? ઉ. ૨ : આત્મા અને રાગની સંધિ અતિ સૂક્ષ્મ છે, ઘણી જ દુર્લભ છે. દુર્લભ છે તો પણ અશક્ય નથી. જ્ઞાન ઉપયોગને અતિ સૂક્ષ્મ કરતાં - ઝીણો કરતાં લક્ષમાં આવી શકે છે. પંચ મહાવ્રતના પરિણામો તે શુક્લ લેગ્યાના કષાયની મંદતાના પરિણામો તે અતિ સૂક્ષ્મ કે દુર્લભ નથી પણ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી ઉપયોગને અતિ સૂક્ષ્મ કરવાથી આત્મા જાણવામાં આવે છે. પ્ર. ૩ઃ સમ્યકત્વનું આત્મભૂત લક્ષણ શું? ઉ. ૩: સ્વ-પરનું યથાર્થ ભેદજ્ઞાન સદાય સમ્યકત્વની સાથે જ હોય છે. અને એ બન્ને પર્યાયો એક જ સ્વદ્રવ્યના આશ્રયે છે; માટે ભેદવિજ્ઞાન તે સમ્યકત્વનું આત્મભૂત લક્ષણ છે. ગુણભેદની અપેક્ષાએ સમ્યકત્વનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ તે આત્મભૂત લક્ષણને સમ્યકત્વનું લક્ષણ ભેદવિજ્ઞાન તે અનાત્મભૂત લક્ષણ એમ પણ કહેવાય. નિર્વિકલ્પ અનુભૂતિ સમ્યકત્વની સાથે સદાય નથી હોતી. તેથી તેને સમ્યકત્વનું લક્ષણ કહેતાં નથી. સમ્યકત્વ પ્રગટતી વખતે નિર્વિકલ્પ અનુભૂતિ જરૂર હોય છે તેથી તેને “સમ્યકત્વ પ્રગટવાનું લક્ષણ” કહી શકાય.
અનુભૂતિ તે સમ્યકત્વના સદ્ભાવને પ્રસિદ્ધ જરૂર કરે છે, પણ અનુભૂતિ ન હોય ત્યારે સમકિતીને સમ્યગ્દર્શન હોય છે. માટે અનુભૂતિને સમ્યકત્વનું લક્ષણ કહી શકાતું નથી.
લક્ષણ એવું હોવું જોઈએ કે લક્ષ્ય સાથે સંદેવ હોય, અને જ્યાં લક્ષણ ન હોય ત્યાં લક્ષ્ય પણ ન હોય. પ્ર. ૪: સમ્યગ્દર્શનનું સ્વભાવભૂત લક્ષણ શું? ઉ. ૪ અનુભૂતિને લક્ષણ કહ્યું છે પણ ખરેખર તો તે જ્ઞાનની પર્યાય છે, ખરું લક્ષણ તો પ્રતીતિ જ છે. એકલા આત્માની પ્રતીતિ તે શ્રદ્ધાનનું લક્ષણ છે.