SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પર૯ ઉ. ૧૪: ઉપયોગ પરમાં બહારમાં જાય છે તેને અંદર સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગને સ્વમાં લઈ જવો તેને ઊંડો લઈ જવો કહ્યો છે. ઊંડો એટલે આઘો - દૂર લઈ જવાનો નથી પણ અંદરમાં - સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગ સ્વમાં વળતાં – ઢળતાં આત્માના દર્શન થાય છે. પ્ર. ૧૫: કેટલો અભ્યાસ કરે તો સમ્યગ્દર્શન પામી શકાય ? ઉ. ૧૫ : અગીયાર અંગનો ઉઘાડ થઈ જાય એટલી રાગની મંદતા અભવીને (અભવ્ય જીવને) થાય છે. અગીયાર અંગનું જ્ઞાન ભણ્યા વિના ક્ષયોપશમ ઉધડી જાય છે. વિર્ભાગજ્ઞાન પણ થઈ જાય છે, ને સાત સમુદ્રને પ્રત્યક્ષ દેખે છે છતાં આ બધું જ્ઞાન થવું તે સમ્યગ્દર્શનનું કારણ નથી. પ્ર. ૧૬ : અગીયાર અંગવાળાને પણ સમ્યગ્દર્શન થતું નથી તો આત્માની રુચિ વિના આટલું બધું જ્ઞાન થાય? ઉ. ૧૬: જ્ઞાનનો ઉઘાડ થવો તે મંદ કષાયનું કાર્ય છે, આત્માની રુચિનું કાર્ય નથી. જેને આત્માની ખરેખરી રુચિ થાય તેને જ્ઞાન અલ્પ હોય તો પણ રુચિના બળે સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન માટે ઉઘાડ જ્ઞાનની જરૂર નથી પણ આત્માની રુચિની જરૂર છે. પ્ર. ૧૭ઃ શાસ્ત્રાભ્યાસ આદિ કરવા છતાં તેનાથી સમ્યગ્દર્શન થતું નથી તો સમ્યગ્દર્શન માટે શું કરવું? ઉ. ૧૭. ખરેખર એક આત્માની જ રુચિપૂર્વક પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તે જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. આત્માનો સાચો નિર્ણય કરનારને પહેલાં સાત તત્ત્વોનો સવિકલ્પ નિર્ણય આવે છે. શાસ્ત્રાભ્યાસ હોય છે, શાસ્ત્રાભ્યાસ ઠીક છે તેમ પણ વિકલ્પમાં હોય છે પણ તેનાથી ખરો નિર્ણય થતો નથી. વિકલ્પ સહિત છે ત્યાં સુધી પરસન્ખતા છે. પરસમુખતાથી સાચો નિર્ણય થતો નથી. સ્વસમ્મુખ થતાં જ સાચો નિર્વિકલ્પ નિર્ણય થાય છે. સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પથવાનું આવે છે છતાં સવિકલ્પતા તે નિર્વિકલ્પ થવાનું ખરું કારણ નથી છતાં પહેલાં આવે છે તેથી સવિકલ્પ દ્વારા એમ કહેવાય છે. પ્ર. ૧૮: આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી તો શુભ વ્યવહાર કરવો ને? ઉ. ૧૮ : અનુભવ ન થાય તો અનુભવ કરવાનો અભ્યાસ કરવો. તત્વનિર્ણય અને ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. છોકરો સાતમા ધોરણમાં પાસ ન થાય તો પાસ થવાનો અભ્યાસ કરે પણ વેપાર કરવાથી કાંઈ પાસ થાય? પ્ર. ૧૯ : અહિંસાને પરમ ધર્મ કહ્યો છે, તેનો શું અર્થ? ઉ. ૧૯ : રાગથી લાભ માનવો એ તો ચૈતન્યપ્રભુનો અનાદર છે. અહિંસાને ધર્મ કહ્યો છે તે અહિંસા એટલે રાગાદિની ઉત્પત્તિ ન થવી, તે વીતરાગી અહિંસા ધર્મ છે. પરની દયાનો ભાવ તે રાગ છે, એ રાગથી સ્વની હિંસા થાય છે. પ્ર. ૨૦ઃ પ્રભુ! હું સંસાર રોગથી પીડાતો દર્દી છું, એ રોગને મટાડનાર આપ ડૉક્ટર પાસે આવ્યો છું. તો મારે શું કરવું?
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy