SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ ' ' પ્ર. ૧૬ : બંધનું કારણ પરદ્રવ્ય અને મોક્ષનું કારણ સ્વદ્રવ્ય છે ને ? ઉ. ૧૬ બંધનું કારણ પરદ્રવ્ય નથી, પરદ્રવ્ય તો સદાય હોય છે. જો તે બંધનું કારણ હોય તો બંધ રહિત ક્યારેય ન થઈ શકે. પરદ્રવ્ય પ્રત્યેનું સ્વામીત્વ તે બંધનું કારણ છે અને સ્વદ્રવ્ય પણ અનાદિથી છે જ છતાં મોક્ષ થયો નહિ. તેથી સ્વદ્રવ્યમાં સ્વામીત્વ તે મોક્ષનું કારણ છે. સ્વદ્રવ્યમાં સ્વામીપણું થતાં પરદ્રવ્ય હોવા છતાં પણ બંધ થતો નથી. માટે સ્વદ્રવ્યમાં સ્વામીપણું તે મોક્ષનું કારણ છે અને પારદ્રવ્યમાં સ્વામીપણું તે બંધનું કારણ છે. પ્ર. ૧૭ : શું જીવ દુઃખમાં સુખ માનતા હશે? ઉ. ૧૭ હા, મૂઢ છે ને! એટલે દુઃખમાં સુખ માને છે. એણે વાસ્તવિક સુખનો નમૂનો કયાં જોયો છે? એટલે કે ની સાથે સરખાવે? દુઃખને જ સુખ માની રહ્યો છે. પ્ર. ૧૮ : અમારી કાળલબ્ધિ પાકી નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી ને? ઉ. ૧૮: ના, ના, એમ નથી, પણ તમારો પુરુષાર્થ વિપરીત છે એટલે સમ્યગ્દર્શન થતું નથી. કાળલબ્ધિની ભાષા સાંભળીને ધારી લ્ય ને બોલે એમ ન ચાલે. ભગવાને દેખ્યું હશે ત્યારે થશે એમ ધારી લેવાથી ન ચાલે. ભગવાને દીઠું એની પ્રતીત છે? ભગવાને દીઠું એનું યથાર્થ જ્ઞાન કરે, યથાર્થ નિર્ણય કરે એની દષ્ટિ તો દ્રવ્ય સ્વભાવ ઉપર હોય અને તેની કાળલબ્ધિ પાકી જ હોય છે. પરના કર્યા કરવામાં તો ઊંધો પુરુષાર્થ કરો છો અને તારા આત્મકાર્યમાં કાળલબ્ધિના બહાના કાઢી પુરુષાર્થ કરતો નથી તો સમ્યગ્દર્શન ક્યાંથી થાય? પ્ર. ૧૯ કષાયને પાતળો કરે તો અંતર્મુખ થવાય ને? ઉ. ૧૯ બિલકુલ ખોટી વાત છે. સંસારને પાતળો કરે તો સંસાર રહિત થવાય? ઝેરને પાતળું કરે તો અમૃત થાય? પુણ્ય-પાપ બન્ને બંધના કારણ છે, ઝેરરૂપ છે. અમૃતથી વિરુદ્ધ ભાવ છે તેમાં બે માંથી એકને ઠીક અને બીજાને અઠીક માનવો, શુભ અને અશુભમાં ભેદમાનવો-તફાવત માનવો, શુભ-અશુભમાં બે માં કાંઈક ફેર છે એમ માનશે તો ઘોર સંસારમાં રખડશે એમ કુંકુંદ આચાર્ય કહે છે. ભગવાન આત્મા આત્મસ્વરૂપ છે, તેની સન્મુખ થવાનું સાધન એ પોતે જ છે. કષાયની મંદતા બિલકુલ સાધન નથી. કષાયની મંદતાના શુક્લ લેગ્યાના ભાવે કરીને દ્રવ્યલિંગી નવમી રૈવેયક ગયો છતાં મિથ્યાત્વ છૂટ્યું નહિ. પ્ર. ૨૦ઃ ઘણા લોકો પૂછે છે કે મનુષ્યની ફરજ શું, માનવ ધર્મ શું? ઉ. ૨૦ઃ અરે ભાઈ! સૌથી પહેલાં તો હું મનુષ્ય છું એવી માન્યતા એ જ મોટો ભ્રમ છે. મનુષ્યપણું તો સંયોગી પર્યાય છે. જીવ-પુદ્ગલના સંયોગરૂપ અસમાનજાતીય પર્યાય છે, તે આત્માનું સ્વરૂપ નથી. મનુષ્ય પર્યાય તે હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું - એમ સમજવું તે પહેલી ફરજ છે ને તે પહેલો ધર્મ છે. મનુષ્યભવ પામીને કરવા જેવું હોય તો એ જ છે. આ સિવાય હું મનુષ્ય જ છું એમ માનીને જે કાંઈ ક્રિયાકલાપ કરવામાં આવે તે બધીય વ્યવહારમૂઢ અજ્ઞાની જીવોનો વ્યવહાર છે. પ્ર. ૨૧ : પૈસા-વૈભવમાં આકર્ષણ શક્તિ બહુ લાગે છે?
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy