SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૫ ૭. ૨૧ : પૈસા-વૈભવમાં આકર્ષણ કાંઈ જ નથી, એ જીવના મોહની મૂર્ખાઈ છે, પાગલપણું છે, પરમાં મોહ કરીને પોતાનો ભવ બગાડીને ચોર્યાશીના ભ્રમણમાં ચાલ્યો જાય છે. પ્ર. ૨૨ : અનંતકાળ ગયો પણ ન સમજ્યા, તો હવે શી રીતે સમજાય ? ૩. ૨૨ : અનંતકાળથી આત્માને સમજ્યો નથી એટલે શું આત્માને ન સમજાય ? શું સમજવાની તાકાત ચાલી ગઈ છે ? જેમ પાણી અગ્નિના નિમિત્તે સો વર્ષ સુધી ઊનું થવા છતાં, શું તેનો શીતળ સ્વભાવ ટળી ગયો છે ? ચૂલા ઉપર પડેલું ઊનું પાણી ઊલટું થતાં તે જ અગ્નિનો નાશ કરવાની તાકાતવાળું છે. તેમ અનંતકાળથી ઊંધી રુચિના કારણે આત્માને સમજ્યો નથી. પણ હવે જો રુચિમાં ગુલાંટ મારે તો ક્ષણમાં સમજાય તેવું છે. પ્ર. ૨૩ : બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી તો બાહ્ય વસ્તુના સંગનો નિષેધ શા માટે કરવામાં આવે છે ? ઉ. ૨૩ : અધ્યવસાયના નિષેધ અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, બંધનું કારણ તો જીવના જ પરિણામ છે, પણ બાહ્ય વસ્તુના આશ્રયે અધ્યવસાન થાય છે તેથી અધ્યવસાન છોડાવવા અર્થે તેના આશ્રયભૂત બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન થતાં નથી તેથી અધ્યવસાનના ત્યાગના અર્થે બાહ્ય વસ્તુના સંગનો નિષેધ કરવામાં આવે છે, બાહ્ય વસ્તુનું લક્ષ છોડાવવામાં આવે છે. પ્ર. ૨૪ : પહેલાં અશુભ રાગ ટાળે ને શુભ રાગ કરે તો પછી શુદ્ધ ભાવ થાય તેવો તો ક્રમ છે ને ? ઉ. ૨૪ ઃ એવો ક્રમ જ નથી ! પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરે છે પછી એકદમ શુભ રાગ ટાળી શકતો નથી તેથી પહેલાં અશુભ રાગ ટાળીને શુભ રાગ આવે છે, એ સાધકના ક્રમની વાત છે. પ્ર. ૨૫ : તો અજ્ઞાનીએ શું કરવું ? ૩. ૨૫ ઃ અજ્ઞાનીએ પહેલાં વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવું એ સમ્યગ્દર્શન પામવાનો સાચો ઉપાય છે. શુભ રાગના ક્રિયાકાંડ કરવા તે સાચો ઉપાય નથી. તંત્ર, મંત્ર, વ્રત, તપ, જપ એ કાંઈ ધર્મના ઉપાય નથી. જ્ઞાન અને શ્રદ્ધા એ બે ગુણ પ્રથમ સમજણ માટે જરૂરી છે. ૩. હવે કરવું શું ? ઉપાય શું છે ? પ્ર. ૧ : સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની સરળ વિધિ શું છે ? ઉ. ૧ : પરનો કર્તા આત્મા નથી, રાગનો પણ કર્તા નથી, રાગથી ભિન્ન હું જ્ઞાયકમૂર્તિ છું, માત્ર જાણનાર છું એવી અંતરમાં પ્રતીતિ કરવી. પ્ર. ૨ ઃ કેટલો અભ્યાસ કરે તો સમ્યગ્દર્શન પામી શકાય ? ઉ. ૨ : અગીયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન થઈ જાય તે બધું પરલક્ષી જ્ઞાન છે. આ બધું જ્ઞાન થવું તે સમ્યગ્દર્શનનું કારણ નથી. જ્ઞાનનો ઉઘાડ -ક્ષયોપશમ જ્ઞાન એ મંદ કષાયનું કાર્ય છે, આત્માની રુચિનું કાર્ય નથી. જેને આત્માની ખરેખરી રુચિ થાય તેને જ્ઞાન અલ્પ હોય તો પણ રુચિના બળે સમ્યગ્દર્શન થાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy