SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૯ ઉ. ૯ઃ સામી વસ્તુ સ્થિર (ધુવ) હોય તો તેના ઉપર નજર નાંખતા નજર સ્થિર થાય છે. ભલે નજર (દષ્ટિની પર્યાય) સ્થિર ન રહી શકે, તો પણ ધ્રુવ ઉપર નજર એકાગ્રતા કરે છે તેથી વસ્તુ આખી નજરમાં આવી જાય છે. આખું આત્મદ્રવ્ય નજરમાં જણાઈ જાય છે. મૂળ વાત એ છે કે અંદરમાં જે આશ્ચર્યકારી આત્મવસ્તુ છે એ વસ્તુસ્વભાવનો એને અંદરથી મહિમા નથી આવતો, દ્રવ્યલિંગી સાધુ થયો છતાં અંદરથી મહિમા આવતો નથી, પર્યાય પાછળ આખો ધ્રુવ મહાપ્રભુ પડ્યો છે એનો મહિમા આવે, આશ્ચર્યભાસે તો કાર્ય થાય જ, અનંત અનંત આનંદનું ધામ છે તે એને વિશ્વાસમાં આવવું જોઈએ, વિશ્વાસે વહાણ ચાલે છે ને દરિયો તરી જાય છે તેમ અંદરમાં આત્માની પ્રભુતાનો વિશ્વાસ આવે તો કાર્ય થાય જ. . પ્ર. ૧૦ઃ બાર અંગનો સાર શું છે? ઉ. ૧૦ઃ અનંતા કેવળી, મુનિરાજ અને સંતો એમ કહે છે કે સ્વદ્રવ્યનો આશ્રય કરો અને પરદ્રવ્યનો આશ્રય છોડો, સ્વભાવમાં લીન થાઓ અને પરભાવથી વિરક્ત થાઓ. તેથી વીતરાગતા પ્રગટ થશે. આ જ બાર અંગનો સાર છે. પ્ર. ૧૧ : શું એકલું ચારિત્ર જ ધ્યાન છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પણ ધ્યાનના પ્રકાર છે? ઉ. ૧૧ શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા કરવી તે પણ પરમાત્મ સ્વભાવનું જ ધ્યાન છે. સમ્યગ્દર્શન પણ સ્વરૂપની જ એકાગ્રતા છે, અને સમ્યજ્ઞાન તે પણ ધ્યાન જ છે અને સમ્યગ્યારિત્ર પણ ધ્યાન છે. એ ત્રણે સ્વાશ્રયની એકાગ્રતારૂપધ્યાનના જ પ્રકાર છે. અને પરાશ્રયની એકાગ્રતા તે મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્ર છે. પરમાત્મા સ્વભાવના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યજ્ઞાન પણ ચૈતન્યની એકાગ્રતારૂપ ધ્યાનથી જ થાય છે, ને સમક્યારિત્ર પણ તે ધ્યાનથી જ થાય છે. પરંતુ કોઈ વિકલ્પની પ્રવૃત્તિથી કે જડની ક્રિયાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થતાં નથી. રાગની એકાગ્રતા છોડીને સ્વરૂપની એકાગ્રતા કરવી તેજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એકલા જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરતાં જ રાગાદિની ચિંતા તૂટી જાય છે તે જ એકાગ્ર ચિંતા નિરોધરૂપ ધ્યાન છે, ને તે જ મોક્ષમાર્ગ છે. ધર્મ ધ્યાનથી જ ધર્મની શરૂઆત થાય છે. પ્ર. ૧૨ : પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થને રૂપાતીત એમ ધર્મ ધ્યાનના જે ચાર પ્રકાર છે તેમાં કેટલા સવિકલ્પ છે અને કેટલા નિર્વિકલ્પ છે? ઉ. ૧૨ઃ પરમાર્થે તો ચાર પ્રકારના ધર્મધ્યાન નિર્વિકલ્પ છે; કેમ કે જ્યારે વિકલ્પ છૂટીને ઉપયોગ સ્વમાં થંભે ત્યારે જ ખરું ધર્મધ્યાન કહેવાય. પહેલાં પિંડસ્થ એટલે દેહમાં રહેલો શુદ્ધ આત્મા, પદસ્થ એટલે શબ્દના વારૂપ શુદ્ધ આત્મા, રૂપસ્થ એટલે અરિહંત સર્વજ્ઞદેવ તથા રૂપાતીત એટલે દેહાતીત સિદ્ધ પરમાત્મા એ ચાર પ્રકારના સ્વરૂપનું અનેક પ્રકારે ચિંતન બીજા વિકલ્પમાંથી છૂટીને મનને એકાગ્ર કરવાને ટાણે આવે, તેને વ્યવહારે ધર્મધ્યાન કહેવાય પણ પછી તેના વિકલ્પો છૂટીને નિજ સ્વરૂપમાં ઉપયોગ જામે ત્યારે ખરું ધર્મધ્યાન કહેવાય. આ રીતે ચાર પ્રકારના સવિકલ્પ ચિંતનને વ્યવહારે ધર્મધ્યાન કહ્યું,
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy