________________
૫૧૮ ઉ.૪: અંદરથી જે અપૂર્વ માહાત્મ આવવું જોઈએ તે આવતું નથી. ભલે ધારણામાં માહાત્મ આવતું હોય પરંતુ અંદરથી જે ઉલ્લસિત થઈને જે મહિમા - માહાત્મ આવવું જોઈએ તે વગર કાર્ય થતું નથી.
ક આત્માની ખરેખરી અંદરથી રુચિ જાગે અને ભવનો થાક લાગે તો આત્માનું અંદરથી માહાત્મ આવ્યા વિના રહે જ નહિ. જેને ખરેખર આત્મા જોઈએ છે તેને આત્મા મળે જ. છુટવાનો કામી બંધાતો નથી.' રાગ તે હું નહિ, જ્ઞાયક તે જ હું એમ જ્ઞાયકની દઢતાનો વારંવાર અભ્યાસ કરવો.
આત્માની યથાર્થ રુચિ અને લક્ષ હોય તેને સમ્યગ્દર્શન થાય ને થાય જ. વીર્યમાં હીણપ ન આવવી જોઈએ. વિર્યમાં ઉત્સાહ અને નિઃશંકતા આવવી જોઈએ. કાર્ય થશે જ એમ એના નિર્ણયમાં આવવું જોઈએ. પ્ર. ૫. ઘણાં વખતથી તત્ત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી? ઉ. ૫: આત્મા આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાસ લાગે નહિ, બીજે ક્યાંય રસ પડે નહિ, જગતના પદાર્થોનો રસ ફીક્કો લાગે, સંસારના રાગનો રસ ઉડી જાય. અહો ! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો જ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશને લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય છે. પ્ર. ૬ : ધારણા જ્ઞાનથી આગળ વધાતું નથી તો કોના બળે આગળ વધાય છે? ઉ. ૬ વ્યના બળે આગળ વધાય છે. જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ, દ્રવ્યભાવ એના તરફ પહેલાં જોર જવું જોઈએ. પ્ર. ૭ઃ મિથ્યાત્વનો નાશ સ્વસમ્મુખ થવાથી જ થાય છે કે કોઈ બીજો ઉપાય પણ છે? ઉ. ૭: વના આશ્રયથી જ મિથ્યાત્વનો નાશ થાય છે, તે જ એકમાત્ર ઉપાય છે. સ્વલક્ષે શાસ્ત્રાભ્યાસ કરવો તેનાથી સ્વ જ્ઞાન ઉત્પન્ન થતાં મોહનો ક્ષય થાય છે. પ્ર. ૮ઃ સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ શું છે? ઉ. ૮ : સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થઈ છે તે રાગની મંદતા હતી માટે પ્રગટ થઈ છે એમ તો નથી જ, પણ સૂક્ષ્મતાથી જોઈએ તો દ્રવ્ય-ગુણને લઈને સમ્યગ્દર્શન થયું છે તેમ પણ નથી. સમ્યગ્દર્શનની પર્યાયનું લક્ષ અને ધ્યેયને આલંબન દ્રવ્ય છે તો પણ તે પર્યાય પોતાના ષસ્કારકથી સ્વતંત્ર પરિણમી છે. જે સમયની જે પર્યાય થવાની છે તેને નિમિત્તાદિનું તો આલંબનનથી પણ દ્રવ્યને લઈને થાય છે તેમ પણ નથી. અહાહા..! અંતરની વાતો કાચા પારા જેવી બહુ ગંભીર છે, પચાવી શકે તો મોક્ષ થાય છે. પ્ર.૯ દૃષ્ટિને સ્થિર કરવા માટે સામી વસ્તુ સ્થિર જોઈએ, પણ દષ્ટિ તો પલટતી રહે છે તે કેવી રીતે સ્થિર થાય ?