SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૭ સમ્યગ્દર્શન સંબંધી માર્મિક પ્રશ્નો ૧. ભગવાન આત્માનો મહિમા, આશ્રય, એકાગ્રતા વગેરે. ૨. વર્તમાનમાં ભૂલ શું છે? ૩. હવે કરવું શું? ઉપાય શું છે? ૪. તત્ત્વનિર્ણય અને ભેદજ્ઞાન. ૫. સમ્યગ્દર્શનની વિધિનો ક્રમ. ૬. પાત્રતા અને નિશ્ચય-વ્યવહાર. ૭. સ્વાનુભૂતિ પૂર્વેની સ્થિતિ. ૮. મોક્ષમાર્ગ સંબંધી અગત્યના પ્રશ્નો. ૯. ક્રમબદ્ધ પર્યાય અને સમ્યગ્દર્શન. ૧૦. ઉપાદાન-નિમિત્ત અને સમ્યગ્દર્શન. ૧૧. કર્મના સિદ્ધાંત સંબંધી પ્રશ્નો. ૧૨. સામાન્ય પ્રશ્નો. ૧. ભગવાન આત્માનો મહિમા, આશ્રય, એકાગ્રતા વગેરે : પ્ર. ૧: ધર્મનો મર્મ શું છે? ઉ.૧: આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે અને પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતાને જાણીને સ્વદ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે તે ધર્મ છે. પ્ર. ૨ઃ ધર્મ-અધર્મનો આધાર કોના પર છે? ઉ. ૨ઃ એક તરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ, બન્ને એક સમયે છે. ત્યાં દષ્ટિ કોના ઉપર પડી છે તેના ઉપર ધર્મ-અધર્મનો આધાર છે. સંયોગ પર દષ્ટિ છે તો અધર્મ અને સ્વભાવ પર દષ્ટિ છે તો ધર્મ. પ્ર. ૩ઃ શાસ્ત્રાદિ અભ્યાસ કરવા છતાં તેનાથી સમ્યગ્દર્શન થતું નથી તો સમ્યગ્દર્શન માટે શું કરવું? ઉ. ૩ઃ ખરેખર એક આત્માની જરુચિપૂર્વક પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. સ્વરૂપની સમજણ અને શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. આત્માનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્વભાવ છે તેવજદંડ છે, તેનો આશ્રય લેવાથી મિથ્યાત્વ-આસવ ભાવ તૂટે છે. સ્વસમ્મુખ થતાં જ સાચો નિર્વિકલ્પ નિર્ણય થાય છે. પહેલામાં પહેલું કર્તવ્ય રાગથી ભિન્ન પડીને જ્ઞાયકભાવની દષ્ટિ કરવી એ છે પ્ર. ૪: આપે બતાવેલ આત્માનું માહાત્મ આવવા છતાં કાર્ય કેમ આવતું નથી? ખરેખર માહાત્મ લાવવા શું કરવું?
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy