________________
૫૧૬ ધર્મી જીવ એમ જાણે છે કે હું શુદ્ધ ચિઘન અર્થાત્ શુદ્ધ જ્ઞાનસમૂહનું નિધાન, શુદ્ધ આનંદઘનનું નિધાન, શુદ્ધ વીર્યધનનું નિધાન, શુદ્ધ કર્તાશક્તિનું નિધાન, શુદ્ધ કર્મશક્તિનું પૂર્ણ નિધાન - ભંડાર છું. કર્મના ચાર પ્રકાર છેઃ ૧. કોઈપણ જડની અવસ્થા થાય તે કર્મ છે. આ શરીરાદિની અવસ્થા છે તે તેના કર્તાનું કર્મ છે. જડ
પરમાણુ કર્તા છે. તેનું એ કાર્ય છે, એટલે કર્મ છે, પર્યાય છે. જે જડ દ્રવ્યકર્મ છે તે પણ જડકર્તાનું
પરિણમન - કર્મ છે. ૨. પુણ્ય-પાપનો વિકાર, મિથ્યાત્વનો ભાવ તે ભાવકર્મ - વિકારી કર્મ છે. રાગ-દ્વેષ-મોહના પરિણામ
એ વિકારી કર્મ છે. ૩. નિર્મળ પરિણતિ તે પણ કર્મ છે. આત્માના આનંદના વેદનની ક્રિયા - શુદ્ધતાનો અનુભવ તે પણ
નિર્મળ પરિણમનરૂપ કર્મ છે. ૪. ત્રિકાળ રહેનાર શક્તિ-સામર્થ્ય અંદર પડ્યું છે તે પણ કર્મ છે. કાર્ય થવાનું સામર્થ્ય છે તે કર્મશક્તિ છે.
કાર્ય થવાનું સામર્થ્ય પોતાનામાં હોવાથી તેના કાર્ય માટે નિમિત્ત કે પરની અપેક્ષા નથી. કાર્યરૂપ
થવાની કર્મશક્તિ વસ્તુમાં ત્રણે કાળ પડી છે. આવો ચિઘન પરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભંડાર તે હું છું એમ જેના અનુભવમાં આવે છે તે અનુભવ એક નિર્વિકારી કર્મ - કાર્ય છે અને તેને મોક્ષમાર્ગ કહે છે. - કર્મઅર્થાત્કાર્ય - પર્યાય. આત્મામાં કર્મનામનો ત્રિકાળ ગુણ છે. તેથી કાર્ય-પર્યાય તે કર્મગુણમાંથી આવે છે. એ કર્મ ગુણનું રૂપ બીજા અનંત ગુણોમાં છે. એક ગુણમાં બીજો ગુણ નથી પણ એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. એક ગુણમાં બીજા ગુણના રૂપનું સામર્થ્ય છે. કર્તા ગુણ છે તે જ્ઞાનગુણથી ભિન્ન છે. પણ જ્ઞાનગુણમાં કર્તાગુણનું રૂપ છે. તેવી રીતે કર્મગુણનું પણ રૂપ છે.
આવો શુદ્ધ ચૈતન્યઘનનો નિધિ હું છું એમ જ્ઞાની અનુભવે છે. અહાહા!તેના સ્વભાવના સામર્થ્યની શું શક્તિ છે!રાગરૂપે થવું એ કાંઈ શક્તિ કે ગુણ નથી. વસ્તુ તો શુદ્ધ ચિઘન એટલે શુદ્ધ આનંદઘન, શુદ્ધ જ્ઞાનઘન, શુદ્ધ વીર્યધન એમ અનંતા ગુણનું ઘન - સમૂહ છે.
વીર્યનો વેગ જ્યાં અંતરમાં વળે છે ત્યાં જ્ઞાની એમ અનુભવે છે કે હું તો પૂર્ણ સ્વરૂપ નિધિ છું. હું શરીર નથી, રાગ નથી, પુણ્ય-પાપ નથી અને અલ્પજ્ઞ પણ નથી, તેમ જ એક ગુણરૂપ પણ નથી; હું તો અનંત ગુણનું એક નિધાન-ખાણ છું. આવો સ્વરૂપનો મહિમા છે.