________________
૫૧૧ પ્ર. ૬: સ્વાનુભૂતિમાં નાળિયેરમાં જેમ ગોળો અલગ છે તેમ, શરીર એકદમ જુદું પડ્યું છે એમ ખ્યાલમાં આવે? ઉ. ૬ઃ પોતે જુદો જ પડી જાય છે. એકદમ નિરાળો થઈ જાય છે. ચૈતન્યતત્ત્વ એકલો નિરાળો થઈ પોતે પોતાની અનુભૂતિ કરે છે, પોતે પોતાના અનંત ગુણનું વેદન કરે છે, ચૈતન્યગોળો છૂટો પડીને, ચૈતન્યપણે પોતે પોતાને અનુભવે છે. આ અનુભવમાં જે વિભાવનું વેદન છે તે છૂટી જાય છે, અને ચૈતન્યનું વેદના અંતરમાંથી પ્રગટ થાય છે. એકદમ એવો નિરાળો થઈ જાય છે, શરીરનો ખ્યાલ રહેતો નથી. બહાર ઉપયોગ આવે ત્યારે આ શરીર જુદુંઅનેહું જ્ઞાયક જુદો તેમજુદાપણાની-નિરાળાપણાની પરિણતિ વર્તે છે. અંતરમાં ગયો તો શરીર ક્યાં છે એ ખ્યાલ રહેતો નથી, વિકલ્પ તરફનો ઉપયોગ પણ છૂટી જાય છે ને એકલું ચૈતન્યનું વેદના રહે છે, એકલી આનંદની ધારા રહે છે. તેની સાથે અનંત ગુણની પર્યાય પ્રગટ થાય છે. પ્ર. ૭ઃ સવિકલ્પ અને નિર્વિકલ્પ દશામાં શો ફેર છે? ઉ.૭: નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન જુદું જ હોય છે. નિર્વિલ્પ સ્વાનુભૂતિનો કોઈ જુદો જ પ્રકાર છે. સવિકલ્પ દશામાં રાગની આકુળતાનું વેદના અને શાંતિ સાથે વેદાઈ રહ્યા છે. અને નિર્વિકલ્પમાં એકલો આનંદ જ વેદાઈ રહ્યો છે, જેમાં આકુળતા એકદમ અબુદ્ધિપૂર્વક છે તેનો પોતાને ખ્યાલ પણ નથી આવતો. એકલી નિરાકુળતા, એકલો આનંદદાય છે. સવિકલ્પ દશા રાગ મિશ્રિત છે. નિર્વિકલ્પ દશામાં એકલો આનંદ છે, એમ ફેર છે. જ્ઞાની સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામાં ક્યાંનો ક્યાં ચાલ્યો ગયો ! જુદા દેશમાં ચાલ્યો ગયો. આત્મામાં ડૂબી ગયો, સ્વાનુભૂતિમાં અંદર લીન થઈ ગયો. એ દશા! અને સવિકલ્પ દશા જે આકુળતા સાથે રહેલી છે, તેમાં ફેર છે. ઉપરની ભૂમિકાવાળાને સવિકલ્પમાં ભલે શાંતિ વધારે હોય પણ આકુળતા અને નિરાકુળતા બન્ને મિશ્રિત છે. તે મિશ્રિત વેદના અને એકલું નિર્વિકલ્પ વેદન તેમાં ફેર છે. પ્ર. ૮: સ્વાનુભૂતિમાં ઉપયોગ છે તે પ્રમાણ સ્વરૂપ છે નય સ્વરૂપ છે? ઉ. ૮: સ્વાનુભૂતિમાં ઉપયોગ પ્રમાણ સ્વરૂપ છે અને તે સહજરૂપે છે. દષ્ટિ પોતે એમ ને એમ છે અને જ્ઞાન પ્રમાણરૂપે છે. એ બધું નિર્વિકલ્પરૂપે છે. ત્યાં વિકલ્પવાળા નય-પ્રમાણ કાંઈ લાગુ પડતા નથી. સ્વાનુભૂતિના કાળમાં નય પક્ષ ક્યાંય ચાલ્યા જાય છે, નયની લક્ષ્મી ક્યાં ચાલી ગઈ તે દેખાતી નથી, પ્રમાણ અસ્ત થઈ ગયું ને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો ગયો તે કાંઈ ખબર પડતી નથી. બધા રાગવાળા નયના પક્ષપાતો છૂટી જાય છે અને સહજ પરિણતિ કે જે જીવનું સ્વરૂપ છે તે એમને એમ રહી જાય છે. તે કાળે ઉપયોગ દ્રવ્ય-પર્યાય બધાયને જાણે છે. ઉપયોગ પ્રમાણરૂપ અને શુધનયરૂપે પરિણતિ છે. પ્ર.૯: નિર્વિકલ્પ દશાના કાળમાં જ્ઞાન દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેને જાણે તો પણ તેમાં રાગ ઉત્પન્ન થતો નથી?