SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ અનંત પર્યાયનું વદન થાય છે તેને જાણે છે. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ આત્મા છે, તેની અનેક જાતની પર્યાયને તે જાણે છે તે અનુભવના કાળે પરપ્રકાશકપણું છે. અને ઉપયોગ બહારમાં હોય ત્યારે તે બહારનું જાણે છે તે પણ તેમાં એકત્વ થતો નથી. (અનુભવ કાળે) પોતે પોતાનો જ્ઞાયક રહે છે, જ્ઞાતાની ધારા ચાલે છે અને ઉપયોગ બહાર હોય ત્યારે તેનાથી જુદો રહીને પરને જાણે છે. એટલે કે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. ઉપયોગ બહાર હોય ત્યારે હું જ્ઞાયક આત્મા છું એવી શુદ્ધ પરિણતિ ચાલુ જ છે. આ રીતે સવિકલ્પ દશામાં પણ સ્વ-પરપ્રકાશકપણું છે અને અંતરમાં પોતે પોતાને જાણે છે અને પોતાના અનંત ગુણ-પર્યાયોને જાણે છે તે નિર્વિકલ્પ દશાના કાળનું સ્વ-પરપ્રકાશકપણું છે. અનેક જાતની પર્યાયો તેને સ્વાનુભૂતિમાં પરિણમે છે તેને જાણે છે તથા પોતાને અભેદપણે જાણે છે. આ રીતે બધું જાણે છે તે નિશ્ચય સ્વ-પરપ્રકાશકપણું છે. પરને જાણે છે તે વ્યવહાર એટલે કે પરને નથી જાણતો એવો તેનો અર્થ નથી. વ્યવહાર એટલે કે બીજાને જાણતો નથી અને બીજાને જાણે તે કહેવામાત્ર છે એવું નથી. પરને જાણે છે, પણ તે બીજું બહારનું શેય થયું એટલે વ્યવહાર કહેવાય છે.. પ્ર.૪ આત્મા સ્વરૂપ આનંદમાં રમી રહ્યો હતો, આનંદ તરંગોમાં ડોલી રહ્યો હતો તેમાં શું કહેવું છે? અતીન્દ્રિય આનંદમાં શું સંવેદન થતું હશે? ઉ. ૪: આત્મા તો એક અદ્ભુત વસ્તુ છે, તેના દ્રવ્ય-ગુણ-પર્યાય કોઈ જુદા છે. અનંત કાળથી આકુળતા હતી તે આકુળતા છૂટીને આત્માનો સ્વભાવ નિરાકુળ છે તે નિર્વિકલ્પ દશામાં પ્રગટ થાય છે. આત્મા સ્વયં આનંદસ્વભાવે જ છે. એટલે કે આત્મામાં આનંદ આદિ અનંતગુણો છે અને તેમાં આત્મા પરિણમન કરતો હોય છે. અર્થાત્ આત્મામાં અનેક જાતની ક્રિયાઓ ઉત્પન્ન થાય છે - તરંગો ઉઠતા હોય છે, અને તેમાં તે રમણતા કરતો હોય છે. આવો આત્માનો સ્વભાવ છે. આત્મામાં આનંદ આદિ અનંત ગુણ છે, અને તેની પર્યાયોના પરિણમનમાં તરંગ ઉઠતા હોય છે, અને તેમાં તે રમણતા કરતો હોય છે. બાકી વાણીમાં કેટલું આવે? વાણીમાં તેને માટે કોઈ ઉપમા છે નહિ, સિદ્ધ ભગવાનને પૂર્ણ આનંદ છે અને આ એક સમયની સ્વાનુભૂતિમાં તેનો અંશ છે, પણ તે જ જાત છે. આત્મા પોતે અસ્તિત્વરૂપ છે, અવસ્તુનથી. તથા તે અસ્તિત્વ જાગૃત સ્વરૂપ છે. એટલે જ્યાં આકુળતાથી છૂટ્યો ત્યાં આત્મામાં જે સ્વભાવ છે તે પ્રગટ થાય છે. અને તેથી આનંદ તરંગમાં રમી રહ્યો હતો એમ કહ્યું છે. તે વાક્યની અંદર ઊંડાણ છે. કહેવા માટે શબ્દો દ્વારા કહેવાય કે ખેલી રહ્યો હતો, રમી રહ્યો હતો, ડોલી રહ્યો હતો, પણ તે બધાના અર્થમાં ઊંડાણ છે. તેના સ્વભાવમાં અભૂતતા છે. શબ્દથી એમ કહેવાય કે તરંગમાં ડોલતો હતો, ઝૂલતો હતો. બાકી તેના ભાવમાં ઊંડાણ રહેલું છે, તે કાંઈ દષ્ટાંતથી ખ્યાલમાં ન આવે. બાકી વસ્તુ તો કોઈ જુદી છે. એ તો સ્વાનુભૂતિમાં વેદે તેને ખ્યાલમાં આવે, અર્થાત્ સ્વ નુભૂતિમાં જે સ્વભાવ છે તેનું વદન થાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy