SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૭ થશે. રાગના રસીલા જગતના જીવોનો પરિચય કરીશ તો તારી પરિણતિ પડી જશે. જેને શરીર આદિનો પ્રેમ છે, જેને પુણ્યનો પ્રેમ છે, એવા લૌકિકજનોનો પરિચય કરીશ તો તારો પરિણતિ પડી જશે. લોકો માન-સન્માન આપે તેના પરિચયથી તને નુકસાન થશે, તું મરી જઈશ. સ્ત્રી, પુત્રાદિ કે વ્યાપાર આદિના પરિચયથી તને નુકસાન થશે. તું આનંદનો નાથ પ્રભુ છો ! તારા નિવાસમાં-તારા પરિચયમાં રહે તો તને આનંદ ને સુખ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભય થઈને વિરે છે તેને બીજા પ્રાણીઓનો ભય હોતો નથી, તેમ તું પણ નિર્ભય થઈને તારા સ્વદેશમાં વિચર ! સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે જીવને ક્ષા। ક્ષણે મિથ્યાત્વ મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી. અજ્ઞાની જીવ વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભાશુભ કરે છે તેના કરતાં સત્ સમજવાને લક્ષે જે શુભ ભાવ થાય છે તે ઊંચી જાતનો છે. વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભ ભાવ કરે છે તે જીવને તો અભિપ્રાયમાં મિથ્યાત્વ પોષાતું જાય છે. અને સત્ સમજવાને લક્ષે તો ક્ષણે ક્ષણે મિથ્યાત્વ તૂટતું જાય છે. અને જેને સત્ સમજમાં આવી જાય તેની તો વાત જ શું ? પ્ર. ૪૦ : અનાદિના અજ્ઞાની જીવને અનુભૂતિ પહેલાં તો એકલો વિકલ્પ જ હોય ને ? ઉ. ૪૦ : ના; એકલો વિકલ્પ નથી. સ્વભાવ તરફ ઢળી રહેલાં જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મસ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે, ને તે લક્ષના જોરે જ જવ આત્મા તરફ આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરે આગળ નથી વધાતું. જ્યાં રાગ તરફનું જોર તૂટવા માંડ્યું ને સ્વભાવ તરફનું જોર વધવા માંડ્યું - ત્યાં સવિક્લ્પ દશા હોવા છતાં એકલો રાગ જ કામ નથી કરતો પણ રાગનો અવલંબન વગરનો, સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે; અને તેના જોરે આગળ વધતો વધતો, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત આત્માનો અનુભવ થઈ જાય છે - સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે. આવી અલૌકિક અનુભૂતિની વાત છે. સ્વાનુભતિ દશા સંબંધી પ્રશ્નો પ્ર. ૧ : સ્વાનુભૂતિનું અંતરંગ સ્વરૂપ કેવું હોય ? ઉ. ૧ : તે અંતરંગ સ્વરૂપ વાણીમાં (પુરું) આવતું નથી. વિકલ્પ છૂટીને અંતરમ આનંદનું વેદન આવે તે પહેલાં પોતે જ અનુભવી શકે છે. અનંત ગુણથી ભરેલો આત્મા છે તેમાં તેનો ઉપયોગ સ્વાનુભૂતિ થતાં લીન થઈ જાય છે અને વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પની આકુળતા છૂટીને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય એવી સ્વાનુભૂતિ વચનમાં અમુક પ્રકારે આવે છે, બાકી તો જે વેદે તે જાણી શકે છે. તે દશા થતાં આખી દિશા બદલાઇ જાય છે. જે બહારની - વિભાવની દિશા હતી તે પલટાઇને સ્વભાવની દિશામાં, વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ એવી - કોઈ જુદી દુનિયામાં ચાલ્યો જાય છે અને સ્વભાવમાં તલ્લીન-એકદમ લીન થઈ જાય છે. સ્વાનુભૂતિમાં જેવો સ્વભાવ છે તેવી જાતની પરિણતિ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy