SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ પ્ર. ૩૩ કેરીનો સ્વાદ આત્માને આવે છે તેમ આત્માના અનુભવનો સ્વાદ કેવો હોય ? ઉ. ૩૩ કેરી તો જડ છે, જડ કેરીનો સ્વાદ આત્માને આવતો નથી. કેરીના મીઠા રસનું જ્ઞાન થાય છે અને કેરી ઠીક છે એવી મમતાના રાગનો દુઃખરૂપ સ્વાદઆત્માને આવે છે. આત્માના અનુભવનો જે અતીન્દ્રિય આનંદ આવે છે તે આનંદ વચન અગોચર છે, માત્ર અનુભવગમ્ય છે. પ્ર. ૩૪: આ આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવવા છતાં પ્રગટ કેમ નહિ થતું હોય ? ઉ. ૩૪ : એને યોગ્ય પુરુષાર્થ જોઈએ. અંદરમાં અપાર શક્તિ પડી છે તેનું માહાસ્ય આવવું જોઈએ. વસ્તુ તો પ્રગટ છે, અપ્રગટ તો પર્યાયની અપેક્ષાએ કહેવાય છે. આમ વસ્તુ પ્રગટ જ છે, તેને આડે કાંદ ઢાંકણું નથી. પ્રથમ વસ્તુનું માહાત્મ આવવું જોઈએ. ભાન થાય તો માહાત્મ આવે એમ નહિ, કેટલાક એમ લઈ લ્ય છે; પણ પહેલાં માહાત્મ આવે, તો માહત્મ આવતાં આવતાં ભાન થાય. પ્રતીત થતાં, લક્ષ ત્યાં જાય ને અનુભવ થાય. પ્ર. ૩૫ : આત્માના જુદા જુદા ગુણો ખ્યાલમાં આવે છે પણ અભેદ આત્મા કેમ ખ્યાલમાં નથી આવતો ? ઉ. ૨૫ : પોતે ખ્યાલમાં લેતો નથી એટલે આવતો નથી. અભેદને લક્ષમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. નિર્વિકલ્પ થાય ત્યારે અભેદ આત્મા ખ્યાલમાં આવે છે. પ્ર. ૩૬ : એ ખ્યાલમાં લેવો કઠણ પડે છે? ઉ. ૨૬ : ધીરે ધીરે પ્રયત્ન કરવો, મૂંઝાવા જેવું નથી. અનુભવમાં આવી શકે એવો છે, ખરેખર આવી જ રહ્યો છે. માટે ધીરે ધીરે પ્રયાસ કરવો, મૂંઝાવું નહિ, થઈ શકે એવું છે. આવા કાળે આવી ઊંચી વાત સાંભળવા મળે છે એ કાંઈ ઓછું છે? પ્ર. ૭ : સ્વાનુભૂતિ કેમ કરવી ? ઉ. ૭ : રાગની વૃત્તિ પર તરફ જાય છે તેનું લક્ષ છોડીને સ્વસમ્મુખ વળે તો અનુભૂતિ થાય. પ્ર. ૬૮ : વિષય કષાયની સતત વિટંબણામાંથી છૂટવાનું સાધન શું? ઉ. ૩૮ : વિષય કષાયનો પ્રેમ છોડવો - રુચિ છોડવી. પ્રપંચ એ પાંચ ઇન્દ્રિયોના વિષયને રાજી કરવાનો છે. પોતાના આત્મસ્વરૂપને જ જ્ઞાનનો વિષય કરીને તેને જાણવાને બદલે પર વસ્તુને જાણવા - દેવાની ઇચ્છા કરે છે, એનું નામ વિષય છે. પોતાના શાંત ચૈતન્ય સ્વરૂપને ન અનુભવ્યું એટલે પર લક્ષે છોધ, માન, માયા, લોભ થતાં પર વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે તે કષાય છે. રાગથી - ઇચ્છાઓથી ચૈતન્યનું ભેદજ્ઞાન કરવું તે વિષય કષાયની સતત વિટંબણાથી છૂટવાનું સાધન છે. પ્ર. ૩૯ : પરિચય કોનો રાખવો જોઈએ? અને કરવું શું? ઉ.૩૯ : સત્ સ્વરૂપ એવા આત્માનો પરિચય રાખજે. જેવો જેનો પરિચય એવી જ એની પરિણતિ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy