SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦પ ઉ. ૨૭ : પ્રથમ ભૂમિકામાં ગુણ-ગુણીના ભેદ આદિના વિકલ્પો આવે છે અવશ્ય, પરંતુ આત્માના ચૈતન્ય લક્ષણ વડે વિકલ્પોને ભિન્ન જાણીને અભેદ ચૈતન્યની તરફ ઢળવું થાય છે. ભેદ ભલે વચ્ચે આવે, પરંતુ મારા ચૈતન્યમાં તે ભેદનથી. હું ચૈતન્ય અવસ્થાનો કર્તા, ચૈતન્યમાંથી જ મારી અવસ્થા કરું, ચૈતન્ય દ્વારા કરું, ઇત્યાદિ ષકારકના ભેદ આવે ભલે, પરંતુ યથાર્થપણે છીયે કારકોમાં ચૈતન્ય વસ્તુ એક જ છે, તે ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આ રીતે ચૈતન્યસ્વભાવની મુખ્યતા કરીને, ભેદને ગૌણ કરીને, સ્વરૂપ સન્મુખ થઈને, તેમાં જ એકાગ્રતા કરવાથી ચૈતન્યનું ગ્રહણ થાય છે. તે જ આત્માની અનુભૂતિ છે, તે જ સમ્યગ્દર્શન છે, તે જ મોક્ષનો ઉપાય છે. પ્ર. ૨૮ : સ્વભાવ સન્મુખ થવા હું શુદ્ધ છું, જ્ઞાયક છું આદિ ચિંતવન કરતાં કરતાં એવો અપૂર્વ આનંદ આવે છે તે આનંદ અતીન્દ્રિય છે કે કષાયની મંદતાનો છે તે કેમ ખ્યાલમાં આવે ? ઉ. ૨૮: ચિંતવનમાં કષાયની મંદતા ઘણી થતાં તેને આનંદ માની ત્યે તે ભ્રમ છે, ખરો અતીન્દ્રિય આનંદ નથી. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવતાં રાગ ને જ્ઞાનની ભિન્નતા પ્રતીતમાં આવે છે. એ અતીન્દ્રિય આનંદનું શું કહેવું? અલૌકિક અપૂર્વ છે. ખરેખરી રુચિવાળા જીવને કષાયોની મંદતામાં અતીન્દ્રિય આનંદનો ભ્રમ થતો નથી.અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યા વિના તે જંપતો નથી. પ્ર. ૨૯: વિકલ્પથી નિર્વિકલ્પ થવામાં સૂક્ષ્મ વિકલ્પ રોકે છે તેનું શું કરવું? ઉ. ૨૯ : નિર્વિકલ્પ થવામાં વિકલ્પ રોકતો નથી પણ અંદર ઢળવા યોગ્ય પુરુષાર્થ (પડતો નથી. વિકલ્પને તોડવો નથી પડતો પણ સ્વરૂપમાં ઢળવાનો પુરુષાર્થ ઉગ્ર થતાં વિકલ્પ સહજ તૂટી જાય છે. પ્ર. ૩૦ઃ સમ્યફ સન્મુખ જીવ તત્ત્વના વિચારમાં રાગ પોતાનો જાણે છે કે પુદ્ગલનો જાણે છે? ઉ. ૩૦: સમ્યક સન્મુખ જીવ તત્વનો વિચારમાં રાગ તે પોતાનો અપરાધ છે તેમ જાણે છે અને અંદર ઉતરવા માટે રાગ તે મારું સ્વરૂપ નથી, રાગ તે હું નથી તેમ જાણીને તેનું લક્ષ છોડી અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે. પ્ર. ૩૧ : અનુભવ દ્રવ્યનો છે કે પર્યાયનો? ઉ. ૩૧ ; “અનુભવ”માં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી પણ સ્વસમ્મુખ વળીને પર્યાય સાથે તરૂપ થઈ છે ને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો – આવી જે બન્નેની અભેદ અનુભૂતિ તે અનુભવ છે. દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહિ. પર્યાયમાં દ્રવ્ય જેટલું સામર્થ્ય ઉત્પન્ન થાય છે તેનો અર્થ અભેદ થઈ છે. પ્ર. ૩૨ : ત્રિકાળી દ્રવ્યના આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય ને તે જ સમયે હું આ આનંદને અનુભવું છું એવો ખ્યાલ આવે ? ઉ. ૩૨ : નિર્વિકલ્પ અનુભૂતિ કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. વિકલ્પમાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે કે આનંદનો અનુભવ થયો છે પણ આનંદના અનુભવ કાળે આનંદ અનુભવું છું તેવો ભેદ નથી, વેદન છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy