SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ પ્ર. ૧૫ નવ તત્ત્વનો વિચાર તો પૂર્વે અનંતવાર કર્યો છે, તો પણ લાભ કેમ ન થયો? ૯. ૧૫ : ભાઈ ! પૂર્વે જે નવ તત્ત્વના વિચાર કર્યા તેના કરતાં આ કાંઈક જુદી રીતની વાત છે. પૂર્વે નવ તત્ત્વના વિચાર કર્યા તે અભેદ સ્વરૂપના લક્ષ વગર કર્યા છે, ને અહીં તો અભેદ રવરૂપના લક્ષ સહિતની વાત છે. પૂર્વે એકલા મનના સ્થૂળ વિષયથી નવ તત્ત્વના વિચારરૂપ આંગણા રાધી તો આત્મા અનંતવાર આવ્યો છે, પણ ત્યાંથી આગળ વિકલ્પ તોડી ધ્રુવ ચૈતન્યમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે ન સમજ્યો તેથી ભવભ્રમણ ઊભું રહ્યું છે. પ્ર. ૧૬ રોજ સાંભળીએ છીએ, હવે અંદર જવાનો કાંઈક ટૂંકો રસ્તો બતાવો. અમે ઘણી મહેનત કરીએ છીએ છતાં આત્મા પકડાતો કેમ નથી ? છે. ૧૬: આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ ચિહ્વન છે, અભેદ છે, અખંડ છે, એની દષ્ટિ કરવી. ભેદ ઉપર લક્ષ કરતાં રાગીને રાગ થાય છે તેથી ભેદનું લક્ષ છોડીને અભેદની દષ્ટિ કરવી એ ટૂંકો સાર છે. ઘણી મહેનત છતાં આત્મા પકડાતો નથી એનું કારણ એ છે કે જ્ઞાનમાં એનું જેટલું જોર જોઈએ એ જોર આવતું નથી. જે લક્ષ પરમાં છે – એટલા પ્રકારથી એને સ્પૃહા -આશા છૂટવી જોઈએ તે છૂટતી નથી તેથી કાર્ય આવતું નથી. આત્મા પકડાતો નથી. રુચિ અનુયાયી વીર્ય - જે તરફ રુચિ હોય - જેની જરૂરીયાત લાગે તે તરફ જ પુરુષાર્થ વળે છે. પ્ર. ૧૭ઃ ઘણા વખતથી તત્ત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી? ઉ. ૧૭: આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાસ લાગે નહિ, બીજે ક્યાંય રસ પડે નહિ, જગતના પદાર્થોનો રસ ફિક્કો લાગે, સંસારના રાગનો રસ ઉડી જાય. અહો ! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાઅનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશને લીધે કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે તેને આત્મા પ્રાપ્ત થાય છે. પ્ર. ૧૮ : આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવવા છતાં વીર્ય બહારમાં કેમ અટકતું હશે? ઉ. ૧૮ : જે વિશ્વાસ આવવો જોઈએ તે આવતો નથી, તેથી અટકે છે. જાણપણું તો અગિઆર અંગ અને નવ પૂર્વનું થઈ જાય પણ તે જાણપણાનું - ક્ષયોપશમ જ્ઞાનનું અહીં કામ નથી. પણ જે ભરોસો ભરોસો જોઈએ તે આવતો નથી. ભરોસે ભગવાન થઈ જાય પણ એ ભરોસો - શ્રદ્ધા આવતી નથી. તેથી ભટક્યા ભટક કરે છે. “અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સર્વને પ્રતિક્ષણ અનુભવમાં પ્રતિભાસ થાય છે પણ તે અનુભૂતિ તે હું છું' એમ માનતો નથી. પ્રતીતિ - લક્ષ અને અનુભવ એ જ અનુભૂતિનો ક્રમ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy