________________
૩૦
૮) બંધઃ દયા, દાન આદિ જે વિકલ્પ ઉઠે તેમાં અટકવું તે ભાવ બંધ છે અને તે સમયે કર્મોનું બંધાવું થાય તે દ્રવ્ય બંધ છે. ૯) મોક્ષ : વસ્તુ-જ્ઞાયકસ્વરૂપ અબંધ છે. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ નિર્મળદશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે મોક્ષ છે. અને તે સમયે સર્વ કર્મોનું ખરી જવું, ક્ષય થવો તે દ્રવ્ય મોક્ષ છે.
આ રીતે તારી એકરૂપ ચીજ શું છે અને એ ચીજની આ દશાઓ શું છે એ આ તત્ત્વો દ્વારા બતાવામાં આવ્યું છે.
નવના ભેદને જતાં નવ ભેદ છે ખરા. તીર્થની પ્રવૃત્તિ અર્થે તે ભેદો વ્યવહારથી કહેલા છે, પણ એ આશ્રય કરવા લાયક નથી. કારણ કે નવ તત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે, અનાત્માની પ્રસિદ્ધિ થાય છે. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થ નય એકપણું પ્રગટ કરે છે, એકલા જ્ઞાયકભાવને દેખાડે છે. આ એક ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ થઈને જાગવાથી એકપાગું પ્રાપ્ત થાય છે; આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. એથી ભૂતાર્થ નયથી નવ તત્ત્વ જાણવાથી સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો છે.
આત્મા વસ્તુ દ્રવ્યસ્વભાવથી શુદ્ધ ચૈતન્યરૂપ આનંદઘન છે. તે એક ને નવ ન હોઈ શકે. પણ જેને એ દષ્ટિમાં આવ્યો નથી, અનુભવમાં આવ્યો નથી અને પર્યાયમાં વિકાર છે. પર્યાયમાં બીજાનો સંગ - સંબંધ થવાથી તેને નવ ઊભા થાય છે. દ્રવ્યમાં તો કોઈ એવી શક્તિ (ગુણ) નથી જે વિકાર કરે. તે ગુણ એવો હોય તો વિકાર ટળે નહિ. ત્યારે કોઈ કહે છે કે પર્યાયમાં વિકાર થાય છે ને? તેનું સમાધાન એમ છે કે પર્યાય બુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી થાય છે, દ્રવ્ય બુદ્ધિવાળાને નહિ. દ્રવ્ય બુદ્ધિવાળાને એનો નિષેધ થઈ ગયો છે, એ તો જ્ઞાતા થઈ ગયો છે. બાપુ! જરા ધીરજથી સમજવું જોઈએ; આ તો વીતરાગ પરમેશ્વરનો અલૌકિક માર્ગ છે, એનો વ્યવહાર પણ અલૌકિક જ હોય. એમ વ્યવહાર નથી આ નવ તત્ત્વો ભૂતાર્થ છે પણ એ આશ્રય કરવા લાયક નથી; કેમ કે તેના આશ્રયે સમતિ થતું નથી.
હવે કહે છે - એક ને જ પોતાની મેળે એટલે કે પોતાની એકપણાની અપેક્ષાએ પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની ઉત્પત્તિ બનતી નથી. નિમિત્ત-નૈમિત્તિકની અપેક્ષા વિના એક ને નવ સાબિત થતા નથી. એકને પર્યાયમાં બીજાનું નિમિત્ત છે. એનાથી આ નવ ભેદો ઉભા થાય છે. તે બન્નેમાં એક જીવ અને બીજુ અજીવ છે.
હવે બાહ્ય(ધૂળ) દષ્ટિથી જોઈએ તો જીવ-પુગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એટલે કે પર્યાયદષ્ટિ કરીને આ યોગ્યતા અને આ નિમિત્ત એ બે ને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો સાચા છે. પર્યાયબુદ્ધિથી જોતાં ભૂતાર્થ છે, વ્યવહાર નયે આ નવ તત્ત્વો છે; વ્યવહાર નયેપર્યાયબુદ્ધિ કરીને એની સન્મુખ જોઈ એકપણે અનુભવતા નવ તત્ત્વના ભેદ યથાર્થ છે.