________________
૪૯૭ . ૩. શ્રીમદ્દે કહ્યું છે કે “અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્ગુરુત્વ,
સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી, નહિ તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે.” ૪. અહીં સત્પાત્રતા થઈનથી તેનો પણ એ જ અર્થ છે કે મુમુક્ષુ બનીને, કષ્ટ ભોગવીને પણ આત્મતત્ત્વનો
કૌતુહલી થયો નથી નહિ તો નિશ્ચય છે કે આત્માનુભૂતિ, સમ્યગ્દર્શન અને મોક્ષ હથેળીમાં છે અર્થાત્ તારી સન્મુખ જ છે. તું તારા સ્વભાવથી જેટલો દૂર છે એટલો મોક્ષ દૂર છે. તે મોક્ષસ્વરૂપ જ છો,
માટે તું તત્ત્વનો, આત્માનો, સ્વભાવનો કૌતુહલી થા ! ૫. જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહિ. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમયે તો સહજ મોક્ષ છે, નહિ તો અનંત ઉપાય પણ નથી.'
જો જીવ આત્મહિત સમજીને આત્મજ્ઞાન પ્રગટાવવાના પુરુષાર્થમાં પ્રવર્તે તો સમ્યકત્વ પ્રાપ્ત થતાં મોક્ષ પણ સહજ થાય છે. ફક્ત એક સમય સ્વભાવમાં લીનતા કરતાં સ્વરૂપનો અનુભવ થાય
છે. બે ઘડી લીનતા કરતાં સંપૂર્ણ આત્મા સાક્ષાત્કાર થાય છે. ૧૦ સ્વાનુભૂતિની પ્રેરણાઃ હે ભવ્ય! તું આટલું તો કરજે ! ૧. આચાર્ય દેવ સમ્યગ્દર્શન ઉપર ભાર દઈને કહે છે કે હે ભાઈ! તારાથી વિશેષ ન થાય તો પણ
ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. જો એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું નથી. ચારિત્ર કરતાં સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે માટે તું સમ્યગ્દર્શનને અવશ્ય
કરજે ! ૨. સમ્યગ્દર્શનનો એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પકાળે
મુક્તદશા પ્રગટ કરે છે. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. ૩. પર્યાયમાં રાગ થાય છતાં એમ પ્રતીત રાખજે કે રાગ મારો સ્વભાવ નથી અને એ રાગ વડે મને ધર્મ
નથી. આમ રાગરહિત સ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો રાગરહિત ચારિત્રદશા થઈ શકે તો તે પ્રગટ કરી
સ્વરૂપમાં ઠરી જજે, પણ જો તેમ ન થઈ શકે અને રાગ રહી જાય તો તે રાગને મોક્ષનો હેતુ ન માનીશ. રાગથી ભિન્ન તારા ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા રાખજે ! ૪. આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે, પણ
પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિથી જો, તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ થાય! જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગરહિત ત્રિકાળી સ્વભાવ છે, માટે પર્યાયદષ્ટિ છોડીને તારા રાગરહિત સ્વભાવની તું પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે રાગ
અલ્પકાળે ટળી જશે, પણ પ્રતીતિ વગર રાગ કદી ટળવાનો નથી. ૫. ‘પહેલાં રાગ ટળી જાય તો હું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરું એમ નહિ, પણ આચાર્યદવ કહે છે
કે પહેલાં તું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરે તો તે સ્વભાવની એકાગ્રતા વડે રાગ ટળે. આ જ સાચી રીત અને ઉપાય છે.