SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ સમ્યગ્દષ્ટિવંત આત્માસ્વ-પરના ભેદનો અનુભવ કરે છે અને સત્-ચિત્ત-આનંદરૂપ પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે છે. તેને નિરંતર આત્મજાગૃતિ વર્તે છે. આવી સમ્યગ્દષ્ટિની કોઈ અલૌકિક - જેનું વર્ણન ન થઈ શકે એવી સ્વાનુભૂતિ વખતે દશા હોય છે. ૮. સ્વાનુભવના ચિહ્નરૂપ જ્ઞાનચેતના : ૧. જ્ઞાનચેતના તો અંતરમાં પોતાના આત્માને ચેતનારી છે. આત્માના અનુભવનો ઉકેલ પામી જાય એવી જ્ઞાનચેતના છે. જ્ઞાનચેતનાનું કાર્ય અંતરની અનુભૂતિમાં છે. જ્ઞાનને અંતરમાં વાળીને જેણે દાગથી ભિન્ન સ્વરૂપને અનુભવમાં લઈ લીધું છે તે જીવને અપૂર્વજ્ઞાનચેતના અંતરમાં ખીલી ગઈ છે. ૨. જ્ઞાનચેતના એટલે શુદ્ધાત્માને અનુભવનારી ચેતના, તે ચેતના મોક્ષમાર્ગ છે. જ્ઞાનચેતના તો અંતર્મુખ થઈને આત્માના સાક્ષાત્કારનું કામ કરે છે. જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ થતાં જ્ઞાનચેતના પ્રગટે છે. ૩. તે જ્ઞાનચેતનામાં આત્મા નિજાનંદને અનુભવતો થકો અત્યંત શુદ્ધપણે પ્રકાશે છે. જ્ઞાની આવી જ્ઞાનચેતના વડે કેવળજ્ઞાનને બોલાવે છે. આમાં જ્ઞાનીના હૃદયનું રહસ્ય ભર્યું છે. ૪. જ્ઞાનચેતના તે ધર્માત્માનું ચિહ્ન છે. તેના વડે ધર્મી જીવ પોતાને નિરંતર શુદ્ધ સ્વરૂપે અનુભવે છે. જ્ઞાનચેતના પોતાના સ્વભાવને સ્પર્શનારી છે. આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરી લેવો તે જ્ઞાનચેતનાનું ફળ છે. જ્ઞાનચેતના તો અંતરમાં પોતાના આનંદસ્વરૂપ આત્માને ચેતે છે. ૫. જ્ઞાનચેતના તો સમ્યગ્દષ્ટિનો ધર્મ છે. જ્ઞાનચેતના આત્મિક રસથી ભરપૂર છે, અતીન્દ્રિય આનંદથી ભરપૂર છે. ૬. ધર્મીએ અંતરમાં ધ્યેય કરીને પોતાના પરિપૂર્ણ આત્માને જાણ્યો, ત્યાં આખા જગતને પણ જાણી ત્યે એવું જ્ઞાનનું સામર્થ્ય પ્રતીતમાં આવ્યું. જીવ અખંડ જ્ઞાનસ્વભાવી છે. આખો સર્વજ્ઞ સ્વભાવ ધર્મીએ પોતામાં દેખ્યો ત્યાં તે જગતનો જ્ઞાતા થયો. ૭. આનંદમય જ્ઞાનચેતનાને પરિણમતા જ્ઞાની ચૈતન્યના પ્રશમરસને પીએ છે. અરે ! મનુષ્યપણું પામીને આ જ્ઞાનચેતના પ્રગટ કરવાનો અવસર છે. એ અવસર ચૂકીશ મા! ૯. શુદ્ધ સ્વરૂપના અનુભવની પ્રેરણા ૧. હે ભાઈ ! તું કોઈ પણ રીતે મહાકષ્ટ ભોગવીને પણ અથવા મરીને પણ એટલે મૃત્યુ જેવા કષ્ટોને ભોગવીને પણ તું તારા આત્માનો કૌતુહલી થા, આત્માનો અનુભવ કર! ૨. સંયોગથી પ્રાપ્ત અને આત્મપ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહરૂપ રહેલું આ શરીર તે તારું સ્વરૂપ નથી, તે તારાથી અત્યંત ભિન્ન છે. તું બે ઘડી તેનો પડોશી થઈ તારા આત્મવિલાસનો અનુભવ કર ! તેથી શરીરાદિ પરપુદ્ગલ સાથેના એકત્વનો તારો મોહ શીધ્ર છોડી દઈશ અથવા તું સમ્યગ્દષ્ટિ સંપ્રાપ્ત કરીશ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy