SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૫ ભગવાન આત્મા સામાન્ય-વિશેષ ઉપયોગપણાને ઓળંગતો નહિ હોવાથી હું જ્ઞાન-દર્શનમય છું. ત્રિકાળી વસ્તુપણે આવો છું. ૪. “અરૂપીછું’ સ્પર્શ, રસ, ગંધ, વર્ણજેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો છતાં પણ સ્પર્શારિરૂપે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. જુઓ, સ્પર્શ, રસ, આદિનું જ્ઞાન જે થાય છે તે મારા પોતાથી થાય છે, નિમિત્તથી નહિ અને સ્પર્ધાદિ નિમિત્તની હયાતી છે તો મારામાં જ્ઞાન થાય છે એમ નથી, તત્સંબંધી જ્ઞાનરૂપે પરિણમવાની યોગ્યતા મારામાં સહજ સ્વભાવથી જ છે. મારું જ્ઞાન અને સ્પર્ધાદિ ભિન્ન ભિન્ન રહે છે તેથી હું પરામાર્થે સદાય અરૂપી છું. સમસ્ત દ્રવ્યો, અનંત પુદ્ગલ રજકણો, અનંત આત્માઓ અને રાગાદિ ભાવો મને મારાપણે ભાસતા નથી. પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ એટલે પુલનો એક રજકણ કે રાગનો એક અંશ પણ મારો છે એમ મને ભાસતું નથી. જ્ઞાની એમ કહે છે કે દયા, દાન, વ્રતાદિનો જે વિકલ્પ ઊઠે છે કે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે મને મારાપણે ભાસતો નથી. અહાહા ! આને આત્મા જાણ્યો કહેવાય અને આ ધર્મ છે. • કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભસતું નથી તો પછી ભાવકપણે કે શેયપણે મારી સાથે એક થઈને તે ફરી મોહ કેમ ઉત્પન્ન કરે? અહાહા ! દષ્ટિનું જોર ! શું વૈરાગ્ય અને ઉદાસીનતા! મને હવે પરદ્રવ્ય મારું છે એવો મોહ ઉત્પન્ન થાય એમ છે જ નહિ. હવે મિથ્યાત્વ ઉત્પન્ન થશે જ નહિ. આનું નામ આત્મા જાગ્યો કહેવાય અને આ ધર્મ છે. અહાહા! સમ્યગ્દર્શન - સ્વાનુભૂતિ શું ચીજ છે એની લોકોને ખબર નથી! ૭. સમ્યગ્દર્શન થાય ત્યારે કેવો અનુભવ થાય?: જે સમયે આત્માનો અનુભવ થાય છે ત્યારે જાણે સૂર્યના કિરણોનો પ્રકાશ થાય છે. સમ્યકત્વના પ્રગટવાના સમયે સ્વાનુભવ દશા હોય છે, તેમાં અતીન્દ્રિય આનંદનો લાભ થાય છે. તે સહજ સુખનો બોધ થતાંઅનુભવ થતાં જ ઇન્દ્રિય સુખ અને આખા સંસારના બધા સુખો તુચ્છ લાગે છે. સમ્યકત્વી સદા સુખી અને આનંદી રહે છે. તેને સહજ સુખ સ્વાધીન હોવાથી જ્યારે ચાહે ત્યારે મળી જાય છે. તેને બીજે ક્યાંય ગોઠતું નથી. સાંસારિક પ્રતિકૂળતા કે અનુકૂળતા તેના આત્માને સમ્યકત્વથી પતિત કરતી નથી. સમ્યગ્દર્શન પ્રગટવાને કાળે તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોય જ ત્યારે શુદ્ધોપપયોગ હોય જ. પણ ત્યાર પછીના કાળે સમકિતીને અનુભૂતિ કોઈક વાર હોય અને કોઈક વાર ન પણ હોય પણ તેને શુદ્ધાત્મા આત્મ પ્રતીતિ તો સદેવ હોય જ એટલે કે શુદ્ધ પરિણતિ તેને નિરંતર હોય જ. તેને વારંવાર યાદન કરાવવું પડે કે તે શુદ્ધ આત્મા છે, જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે' તે સહજ છે. સમ્યગ્દષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન તથા સહજવૈરાગ્યની શક્તિ ઉત્પન્ન થાય છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં ચૈતન્ય સમ્યજ્ઞાન પ્રજ્ઞારૂપે પ્રકાશી ઊઠે છે. તે પ્રકાશમાં જગતના પદાર્થોનું યથાર્થ વસ્તુસ્વરૂપ સમજાય છે. ચિત્તની નિર્મળતાને કારણે તે આત્માનો ગુણરાશિ પ્રગટતો જાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy