SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ અહાહા! ચિન્માત્રજ્યોતિ સ્વરૂપ છું એવો સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનના કાળમાં (સ્વાનુભૂતિના કાળમાં) અનુભવ થાય છે. હવે ચાર બોલથી વ્યાખ્યા કરે છે - ૧. “હું એક છું': ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું. નરક ગતિ, મોક્ષ ગતિ ઇત્યાદિ ગતિઓ ક્રમે થાય છે. એક પછી એક થાય છે. એવી જ રીતે ગુણસ્થાન પણ એક સમયે એક જ હોય છે. તેથી તે ક્રમરૂપ ભાવ કહ્યો છે. અને પર્યાયમાં કષાય, વેશ્યા, જ્ઞાનનો ઉઘાડ વગેરે એક સાથે હોય છે - માગણા સ્થાન એક સાથે હોય છે. તેથી એને અક્રમરૂપ કહ્યા છે. રાગાદિ ભાવ, વેશ્યાનો ભાવ અને જ્ઞાનની એક સમયની પર્યાનો ભાવ ઇત્યાદિ એક સાથે હોય છે તેમને અક્રમરૂપ લીધા છે. આ સઘળા ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું. આ વ્યાવહારિક ભાવોથી ભિન્ન મારી ચીજ છે. કેમ કે હું તો અભેદ, અખંડ, આનંદકંદ પ્રભુ એક ચિન્માત્ર વસ્તુ છું. વીતરાગ દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ તે વિકલ્પથી કે હું ચિન્માત્ર છું” એવા વિકલ્પથી ભેદરૂપ નહિ થતો એવો અભેદ એકરૂપ હું છું. વસ્તુ આત્મા ત્રિકાળ નિર્વિકલ્પ છે. વસ્તુ આત્મા તો ભેદરહિત અભેદ છે એમ જાણે ત્યારે આત્મા જાણ્યો કહેવાય. આનું નામ સમ્યગ્દર્શન છે. હું શુદ્ધ છું: નર, નારક આદિજીવના વિશેષો, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ સ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી ટૂંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ વડે, અનંત જુદો છું માટે હું શુદ્ધ છું. અનાદિથી જીવ પુણ્યભાવ, પાપભાવ અને બંધભાવમાં રોકાયેલો છે. અનાદિથી એને મોક્ષ ક્યાં છે? પણ સંવર, નિર્જરા, મોક્ષનો વિકલ્પ છે. અને હવે જ્યારે ભાન થયું ત્યારે અંતર એકાગ્રતા સહિત જે સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પ્રગટે તે પર્યાય જેવડો હું નથી. આ વ્યાવહારકિ નવ તત્વોથી હું જુદો છું, ભિન્ન છું. પર્યાય બધી નાશવાન છે અને હું અવિનાશી છું. મારા હોવાપણામાં - અસ્તિત્વપણામાં એ પર્યાયના ભેદો છે નહિ. એ ભેદોમાં હું આવતો નથી અને મારામાં એ ભેદો સમાતા નથી. હું તો એક અખંડ ચૈતન્યનો પિંડ છું, જ્ઞાનનો પિંડ છું, આનંદનો કંદ અને પુરુષાર્થનો પિં છું. અને વ્યાવહારિક જે નવ તત્ત્વો તેમનાથી જુદો, અત્યંત જુદો છું, માટે શુદ્ધ છું. ભિન્નતાના ત્રણ પ્રકાર છે. ૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે એ એક વાત. ૨) પુણ્ય-પાપના વિકારી ભાવો છે એનાથી ભગવાન આત્મા ભિન્ન છે એ બીજી વાત. ૩) જે નિર્મળ પર્યાય છે એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે એ ત્રીજી વાત. આવી રીતે એક ચૈતન્ય સ્વભાવપણાને લીધે બધા ભાવોથી હું ભિન્ન છું - તેથી હું શુદ્ધ છું. ૩. “હું દર્શન જ્ઞાનમય છું.’: ચિન્માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શન-જ્ઞાનમય છું. અહીંચૈતન્યસામાન્ય તે દર્શન છે અને ચૈતન્યવિશેષતે જ્ઞાન છે. ચૈતન્યસ્વભાવી
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy