SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ ૬. ‘રાગ ટળે તો હું શ્રદ્ધા કરું એટલે પર્યાય સુધરે તો હું દ્રવ્યને માનું’ એવી જેની માન્યતા છે તે જીવ પર્યાયદષ્ટિ છે – પર્યાયમૂઢ છે. તેને સ્વભાવદષ્ટિ નથી - દ્રવ્યદષ્ટિ નથી; અને મોક્ષમાર્ગના ક્રમને તે જાણતો નથી. સમ્યક શ્રદ્ધા પહેલાં સમ્યગ્યારિત્ર ઇચ્છે છે. ૭. વ્યદષ્ટિના જોરે પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. મારો સ્વભાવ રાગરહિત છે એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક (સ્વભાવના લક્ષે અર્થાત્ દ્રવ્યદૃષ્ટિથી) જે પરિણમન થયું તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે; અને રાગનો અલ્પકાળે નાશ થાય છે. એ સમ્યગ્દર્શનનો મહિમા છે. ૮. આત્માર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે પર્યાયમાં રાગ ન છૂટી શકે તો પણ મારું સ્વરૂપ રાગરહિત જ છે' એવી શ્રદ્ધા તો અવશ્ય કરે ! તારામાં ચારિત્ર ન થઈ શકે તો શ્રદ્ધામાં ગોટા વાળીશ નહિ. તારા રવભાવને અન્યથા માનીશ નહિ. ૯. હું જીવ! તું તારા સ્વભાવનો સ્વીકાર કર ! જેવો સ્વભાવ છે તેવો માન તો ખરો ! જેણે પૂરા વિભાવને સ્વીકારીને સમ્યગ્દર્શન જાળવી રાખ્યું છે તે જીવ અલ્પકાળે સ્વભાવના જોરે જ સ્થિરતા પ્રગટ કરીને મુક્ત થશે જ ! ૧૦. ખાસ પંચમકાળના જીવો પ્રત્યે આચાર્ય ભગવાન કહે છે આ દગ્ધ પંચમકાળમાં તું શક્તિ રહિત હો તો પણ કેવળ શુદ્ધાત્મા સ્વરૂપનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે. આ પંચમકાળમાં આ ક્ષેત્રમાંથી સાક્ષાત્ મુક્તિ નથી પણ ભવભયનો નાશ કરનાર એવો પોતાનો સ્વભાવ છે, તેની શ્રદ્ધા કરવી એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા ભવ રહિત સ્વભાવની શ્રદ્ધાથી તું અલ્પકાળમાં ભવ રહિત થઈ ઈશ. માટે હે ભાઈ! પહેલાં તું કોઈ પણ ઉપાય - પરમ પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર ! રવાનુભૂતિ એ જ પ્રથમ ઉપાય છે. - સરળ છે,સહજ છે. ૧૧. સમ્યગ્દર્શન વગર આત્મકલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં નથી, માટે જ્યાં સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો. આત્મસ્વભાવની સાચી સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો, એ જ સરળ અને સાચો ઉપાય છે. ૧૨. જો તને આત્મસ્વભાવની સાચી રુચિ છે અને સમ્યગ્દર્શનનો મહિમા જાણીને તેની ઝંખના થઈ છે તો તારી સમજણનો પ્રયત્ન નકામો નહિ જાય. સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વ ભાવ મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી, પણ ક્ષણે ક્ષણે તેનું કાર્ય થયા જ કરે છે. સ્વભાવની હોંશથી જે સમજવા માંગે છે તે જીવને અનંતકાળે નહિ થયેલી એવી નિર્જરા શરૂ થાય છે. ૧૩. આવી ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની વાત પણ જે જીવ પ્રસન્ન ચિત્તે સાંભળી છે તે જીવનીટભવી છે. તે જીવ નજીકના ભવિષ્યમાં મુક્તિને લાયક છે. ૧૪. બાત્મા સ્વયં ઉપયોગસ્વરૂપ છે. તેને પરનું અવલંબન નથી, અંતરની એકાગ્રતા વડે જે ઉપયોગ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy