________________
૪૮૮ अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप ।अनुभव मारग मोखको, अनुभव मोख सरुप ॥ અનુભવ ચિંતામણિ (મનોવાંછિત પદાર્થ આપનાર) રત્ન સમાન છે, અનુભવ શાંતિરસનો કૂવો છે, અનુભવ મોક્ષનો માર્ગ છે, અનુભવ એ જ મોક્ષનું સ્વરૂપ છે. અનુભવના રસને જગતના જ્ઞાનીઓ : રસાયણ કહે છે. અનુભવનો અભ્યાસ એક તીર્થભૂમિ છે, અનુભવનો આનંદ કામધેનુ અને ચિત્રાવલી સમાન છે એનો સ્વાદ પંચામૃતના ભોજન જેવો છે અને પરમપદમાં પ્રેમ જોડે છે, એના જેવો બીજો કોઈ ધર્મ નથી.
સંસારમાં પંચામૃત, રસાયણ, કામધેનુ, ચિત્રાવલી આદિ સુખદાયક પદાર્થ પ્રસિદ્ધ છે તેથી એમના દષ્ટાંત આપ્યા છે, પરંતુ અનુભવ એ બધાથી નિરાળો અને અનુપમ છે. એનો મહિમા અલૌકિક છે. ૪. સ્વાનુભૂતિ થઈ નથી તેનું કારણ શું?
૧. આત્માનો નિર્ણય યથાર્થપણે થયો નથી. આત્માને જાણવાની વિધિ બહુ સૂક્ષ્મ છે. ૨. આત્માની યથાર્થ શ્રદ્ધા થાય તો સ્વાનુભૂતિ થાય. આત્માની ભીતર જવાની વિધિ બહુ સૂક્ષ્મ છે. એ
વિધની યોગ્ય ખબર નથી. ૩. એ પ્રાપ્ત કરવા જે રુચિ ઉપડવી જોઈએ – એ માટે જે મન લાગવું જોઈએ એવો પ્રબળ અને સત્ય - પુરુષાર્થ થયો નથી. ૪. ધ્રુવ દ્રવ્યનો વિશ્વાસ નથી આવ્યો - એને દષ્ટિનો વિષય નથી બનાવ્યો. પર્યાયથી જ કામ થશે એમ
ભૂલથી માની લીધું છે. પર્યાયને જ સર્વસ્વ માની એની જ પુરુષાર્થ થઈ રહ્યો છે. પર્યાય પર જ દષ્ટિ છે. પરમાં પોતાના સુખની માન્યતા, સંયોગોને સુધારવાનો અનાદિ કાળનો મિથ્યા પ્રયાસ, સંયોગો
પર સુખ-દુઃખના આધારનો ભ્રમ, દેહથી આત્મા ભિન્ન છે એ શ્રદ્ધા આવતી નથી. ૫. લાંબા કાળ સુધી અમુક વસ્તુઓનું યંત્રવત્ પુનરાવર્તન કર્યા કરવાથી એટલે શંકા થાય છે કે હજી
પરિણામ કેમ આવ્યું નહિ? આના લીધે ધીરજ તૂટી જાય, હિમત છૂટી જાય - વિશ્વાસ લાંબો સમય
ટકતો નથી. ઊધા પુરુષાર્થનું આ પરિણામ છે. ૬. આ કાર્ય કરતાં કરતાં, આ મનુષ્ય ભવનું અલ્પ આયુષ્ય પૂર્ણ થઈ જાય એટલે કાર્ય થાય નહિ. ફરીથી
શરૂઆત કરવી પડે. ૭. કળ તરફ જાય એવી દ્રવ્યદષ્ટિ બનાવી નથી. દ્રવ્યને દૃષ્ટિનો વિષય બનાવ્યો નથી. પરથી દષ્ટિ હટે
અને સ્વ તરફ જાય તો કામ થાય એ વાત સમજમાં આવી નથી. આવા બધા કારણો પર વિશેષ વિચાર કરવો. ૫. સ્વાનુભૂતિની પ્રયોગાત્મક વિધિ :
૧. પ્રથમ આત્માને (સ્વરૂપની સ્થિતિ) સમજવા સંપૂર્ણ યોજના કરવી પડે.