SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ સુખ થાય. પરવસ્તુને જાણતાં જ્ઞાન અને સુખ કેમ હોઈ શકે? અંતર આત્મા શુદ્ધ વસ્તુ છે, તેને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય છે. આમ વાત છે. જે ત્રિકાળ શુદ્ધ જીવ છે, તેને જાણતાં પર્યાયમાં જ્ઞાન અને સુખ થાય. આનંદનો અનુભવ થાય. આનું નામ છે “સ્વાનુભૂતિ'. પરને, નિમિત્તને કે રાગને જાણતાં કાંઇ સુખ થાય નહિ, પરંતુ દુઃખ જ થાય. પરને જાણતાં સાચું જ્ઞાન અને સુખ થાય નહિ. સ્વના આશ્રયે થાય તે “સમ્યજ્ઞાન” છે. પર્યાય પરની હો કે સ્વની હોય, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઊઠે છે. અનંત ગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. જે ત્રિકળી શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવસ્વભાવ ભગવાન આત્મા, કેવળીઓએ જેવો જોયો અને જાણ્યો - એવા ભગવાન આત્માને લક્ષમાં લેતાં-ઉપાદેય કરતાં, પર્યાયમાં જ્ઞાન સમ થાય અને આનંદ પ્રગટ થાય. એને શુદ્ધ આત્મા જાણ્યો અને માન્યો કહેવાય. આ જ અનુભવની - સુખની પ્રક્રિયા છે. સુખ એ અનુભવ સ્વરૂપ છે. સુખાનુભૂતિ એ જ સ્વાનુભૂતિ છે. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્યસ્વભાવ તે જ ઉપાદેય છે. પર્યાય જ્યારે એની પ્રતીત કરી લો કરે છે ત્યારે અનુભવ થાય છે. નિશ્ચયથી સ્વાનુભૂતિની પર્યાય, સંવર-નિર્જરાની પર્યાય અને મોક્ષની પર્યાય પણ પર્યાય હોવાથી હેય છે. ફક્ત ધ્રુવ આત્મા જ ઉપાદેય છે. પર્યાયમાં રાગ હોવા છતાં ભગવાન આત્મા (દ્રવ્ય સ્વભાવ) તે પૂર્ણાનંદનો નાથ છે. એ અનંત સુખનો ધામ છે. પર્યાય તરફના વલણને - લક્ષને છોડીને એક સમયની પર્યાય અને રાગની પર્યાયથી ભિન્ન એવા ભગવાન આત્માનો આશ્રય કરવો - એને ઉપાદેય કરવો – એ એને નમસ્કાર છે. | પર)ભગવાનને નમસ્કાર કરવા એ તો વિકલ્પ છે, રાગ છે એ કાંઈ ધર્મ નથી. આત્માનુભૂતિ' એ ધર્મ છે, સુખ છે. આત્માને પર્યાયથી ભિન્ન એક શુદ્ધ આત્મસ્વરૂપે જાણવો એ શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધી છે. સંસારી જીવ શુદ્ધ જીવનું (પર-અહંતાદિનું) લક્ષ કરે છે માટે સમ્યજ્ઞાન છે એમ નથી. પોતે ત્રિકાળી ધ્રુવશુદ્ધ છે તેને પર્યાયમાં સ્વીકારે ત્યારે સાચું જ્ઞાન અને સાચું સુખ થાય, ત્યારે તેને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનશાંતિ થાય. ‘સ્વાનુભૂતિ' એ જ સુખ - શાંતિની સ્થિતિ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમગ્ગારિત્ર એ ત્રણેની એકતાથી મોક્ષમાર્ગ બને છે. ત્રણ કાળ અને ત્રણ લોકમાં મોક્ષમાર્ગ એક જ છે. એ મોક્ષમાર્ગની પ્રરૂપણા નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારે કરવામાં આવી છે. પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ - એનો પર્યાયમાં આદર કર્યો, ત્યારે પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે પર્યાયેિ સિદ્ધ કર્યું કે સ્વાનુભૂતિની પર્યાયમાં તે પ્રકાશે છે. દ્રવ્ય, દ્રવ્યથી પ્રકાશતું નથી, દ્રવ્ય ગુણથી પ્રકાશતું નથી કારણ કે બન્ને ધ્રુવ છે. તે સ્વાનુભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે, પ્રગટ થાય છે, પ્રસિદ્ધ થાય
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy