________________
૪૮૩ - સ્વાનુભૂતિ
૧. માંગલિક : સમયસાર ટીકા - કળશ ૧.
नमः समयसाराय स्वानुभूत्या चकासते। चितस्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे ॥ શ્લોકાર્થ : નમ: સમયRા ‘સમય’ અર્થાત્ જીવ નામનો પદાર્થ તેમાં સાર જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધાત્મા તેને મારા નમસ્કાર હો. તે કેવો છે? માવાય શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. વળી તે કેવો છે? વિતરૂમાવી જેનો સ્વભાવ ચેતનાગુણ છે. વળી તે કેવો છે? સ્વાનુમૂલ્યા જાતે પોતાની જ અનુભવરૂપ (સ્વાનુભૂતિ) ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતે જ પોતાથી જાણે છે, પ્રગટ કરે છે. વળી તે કેવો છે? સર્વમાવાન્ત છિદ્દે પોતાથી અન્ય સર્વ જીવાજીવ ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્ર-કાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત (ગુણ-પર્યાયો સહિત) એક જ સમયે જાણનારો છે. વિશેષાર્થ અહીં ઇષ્ટદેવને નમસ્કાર કર્યા છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ આત્મા ચૈતન્યમુર્તિ તે પોતે જ ઇષ્ટદેવ છે. તેને નમઃ એટલે તેને નમું છું, તેમાં ઢળું છું, તેનો સત્કાર કરું છું, તેનું શરણું સ્વીકારું છું. ધ્રુવ આત્માની સન્મુખ થઈને નમન કરતી પર્યાય છે. વસ્તુ ધ્રુવ છે.
સમય શબ્દથી સામાન્યપણે જીવાદિ સકળ પદાર્થો જાણવા. તેમાં સાર કહેતાં ઉપાદેય ચીજ તે પોતે છે. સાર એટલે ઉપાદેય. ત્રિકાળી શુદ્ધાત્મા ઉપાદેય છે. આ પોતાની વાત છે. ત્રિકાળી ઉપાદેય છે? કોને? તો કહે છે કે પર્યાયને. (પર્યાયમાં ધ્રુવ આત્મા એક જ ઉપાદેય છે.) પર્યાયમાં તેનો સ્વીકાર કર્યો એ જ તેને નમસ્કાર છે. - સાર એટલે હિતકારી અને સંસાર અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું અને અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થ - પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને સંસારી. જીવને જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. અને તેનું સ્વરૂપ જાણનાર જીવને પણ જ્ઞાન અને સુખ નથી. પરને જાણે તેને જ્ઞાન-સુખ ક્યાંથી હોય?તે જ્ઞાન આત્મસાધક જ્ઞાન ક્યાં છે?
પરને જાણતાં - એમાં સંસારી જીવને જાણતાં, એમ કહેતાં સિદ્ધને જાણતાં એમ પણ ગૌણપણે આવી જાય છે. (નિશ્ચયથી જીવ પોતાને જાણે ત્યારે તેણે સિદ્ધને જાણ્યા એમ વ્યવહારે કહેવાય, જે આત્મજ્ઞ એ સર્વજ્ઞ.)
સિદ્ધને જ્ઞાન છે, સુખ છે; પણ સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે તેને જાણતાં પોતાને જ્ઞાન અને