________________
૪૮૫ આવો માર્ગ છે વીતરાગનો. તારે લગની લગાડવી હોય તો દ્રવ્ય સાથે લગાડ. આ સિવાય બીજે ક્યાંય સુખ કે શાંતિ છે નહિ. પૈસામાં, બૈરી-છોકરામાં, મોટા હજીરા, રાગમાં વગેરેમાં ક્યાંય સુખ નથી. તો કોઈ એમ કહે કે સુખના નિમિત્ત તો છે ને ? શાના નિમિત્ત? એ તો બધા દુઃખના નિમિત્ત છે.
અહા ! આ બધા મહા પુણ્યના ઉદયથી જૈન કુળમાં જન્મયા અને કોઇ ને કોઇ પ્રકારે ધર્મના નામે જુદી જુદી વિધિઓ અંગીકાર પણ કરે છે પણ તેમને ખબર નથી કે જૈન શું કહેવાય ?
જૈન કોઈ સંપ્રદાય કે વાડો નથી. કોઈ ગચ્છ કે મત નથી. અનંત ગુણસ્વરૂપ, જે શુદ્ધ ચૈતન્યઘન ભગવાન આત્મા તેને પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે - સ્વાનુભૂતિ કરે તેણે રાગને અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે. નિશ્ચયથી આ સ્વરૂપ છે. ધર્મની શરૂઆત આ અનુભૂતિની પ્રથમ ક્ષણથી થાય છે. હવે જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કેવો છે તે ચાર બોલથી સંક્ષેપમાં સમજાવે છે. ૧. “ભાવાય': કહેતાં શુદ્ધ સત્તારૂપ વસ્તુ છે, કોઈ કલ્પના નથી. દ્રવ્ય છે, વસ્તુ છે. અનંત ગુણોના
સમુહને દ્રવ્ય કહે છે. જે અનંત ગુણો વસ્યા છે, તે શુદ્ધ છે. આ રીતે તેનું શુદ્ધપણું ઘટે છે. ૨. ‘ચિત્તસ્વભાવાય': પોતે શુદ્ધાત્મા, તેનો સ્વભાવ ચૈતન્યમય - ચેતના ગુણસ્વરૂપ - જ્ઞાનચેતના
દર્શનચેતના જાણવું - દેખવું એવા ગુણસ્વરૂપ ભગવાન આત્મા છે. અનંત શક્તિઓનો પિંડ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એ મુખ્ય ગુણો છે એવા અનંત ગુણોનો પિંડ છે. શુદ્ધાત્મા જડ સ્વરૂપ નથી. એ તો ચૈતન્યનો અખંડપિંડ છે. ‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ
સુખધામ...' એવું જેનું સ્વરૂપ છે. ૩. “સ્વાનુભૂલ્યા ચકાસત': ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાની અનુભવરૂપ ક્રિયાથી - સ્વને
અનુસરીને થતી પરિણતિથી - શુદ્ધ ચૈતન્યની નિર્મળ અનુભૂતિથી જણાય છે. રાગથી પ્રકાશે એવો આત્મા નથી. તેને રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. અહીં અનુભૂતિરૂપ ક્રિયા તે વ્યવહાર છે, તેમાં નિશ્ચય ધ્રુવ આત્મા જણાય છે. અનુભૂતિ તે અનિત્ય પર્યાય, નિત્યને જાણે છે. નિત્ય નિત્યને શું જાણે ? નિત્ય અક્રિય હોવાથી તેમાં ક્રિયારૂપ જાણવું કેમ થાય? પર્યાયને, દ્રવ્ય જે ધ્યેય છે તે પર્યાયમાં જણાય છે. અનુભૂતિની પર્યાયમાં ત્રિકાળી આત્મા જણાય છે. જાણનાર જ્ઞાનની પર્યાય છે પણ જાણે છે દ્રવ્યને. અનુભૂતિની પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. અનુભૂતિની પર્યાયનું વલણ દ્રવ્ય તરફ છે. પર્યાયને પર્યાયનો આશ્રય નથી. કાર્ય પર્યાયમાં થાય છે. આનંદનો અનુભવ પર્યાયમાં થાય છે, પણ તે કાર્યમાં કારણ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે અને તે જ્ઞાનની સાથે આનંદ અવિનાભાવી હોય જ છે.
આત્મામાં એક પ્રકાશ' નામની શક્તિ કહી છે. તે વડે તે સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ શકે છે, પોતે પોતાથી પ્રત્યક્ષ વેદાય એવો છે. પોતે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સમ્યગ્દર્શનમાં આત્મા જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. સમ્યગ્દર્શન તો પ્રતીતિરૂપ છે પણ તે કાળે મતિ-શ્રુતજ્ઞાનથી સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઈ જાય છે. (વેદનની અપેક્ષાએ વાત છે) પરમાર્થ વસ્તુ જ આવી છે. પોતે પોતાથી જણાય એવી