SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ ૭. હું તો જ્ઞાતા દટા છું (આત્મભાવના) અનંત દ્રવ્યો જગમાં વસતા, હું તો જ્ઞાતા દષ્ટા છું. નિજ સ્વરૂપમાં સદાય રહેતો, હું તો આતમરામ છું. પર રૂપે તો કદી ન થાતો, હું તો જ્ઞાતા દૃષ્ટા છું. સ્વયં પરિણામી નિજ ભાવે, હું તો આતમરામ છું. નવ પરિણાવતો હું કોને, હું તો જ્ઞાતા દષ્ટા છું. સ્વ-પર તત્ત્વનો જ્ઞાયક એવો, હું તો આતમરામ છું. પરિણતિને નિજમાં ઢાળી, હું તો જ્ઞાતા દષ્ટા છું. અનિષ્ટ - ઈટ સંયોગ વિયોગે, હું તો આતમરામ છું. દેહાદિકથી ભિન્ન સદાયે, હું તો જ્ઞાતા દષ્ટા છું. રાગાદિક પરભાવો જુદા, હું તો આતમરામ છું. જ્ઞાયકભાવની શ્રદ્ધા કરતો, હું તો જ્ઞાતા દષ્ટા છું. પરમ સુંદર નિજરૂપ દેખતો, હું તો આતમરામ છું. આનંદ રસમાં તન્મય રહેતો, હું તો જ્ઞાતા દષ્ટા છું. નિજ અનંતગુણમાં વસનારો, હું તો આતમરામ છું. ગુણ-ગુણીમાં ભેદ ન દેખું, હું તો જ્ઞાતા દષ્ટ છું. શેય - જ્ઞાન-જ્ઞાતારૂપ એક જ, હું તો આતમરામ છું. સિદ્ધ સ્વરૂપી આતમરામી, હું તો જ્ઞાતા દષ્ટા છું. મધુર ચેતના રસનો સ્વાદી, હું તો આતમરામ છું. નિજ ઉપયોગને સદાય જીવંત, હું તો જ્ઞાતાદષ્ટ છું. પરમ પારિણામિક સ્વરૂપી, હું તો આતમરામ છું. ૮. નિરંતર ભાવવા જેવી ભાવના : હું જાણનાર છું એમ જાણનાર તત્ત્વનું લક્ષ રાખવું. દેહતે હું નથી, દેહમારોનથી, હું તો દેહથી ભિન્ન જાણનાર છું. જાણનારમાં મૂંઝવણ નથી. શરીરમાં વ્યાધિ છે પણ જ્ઞાનમાં વ્યાધિ નથી. મારામાં વ્યાધિનથી, હું તો વ્યાધિનો જાણનાર છું. શરીરમાં ભીંસ પડે પણ જ્ઞાનમાં ભીંસ પડતી નથી. જ્ઞાન તો ધીર-શાંત જાણનાર છે - આમ આત્માનું લક્ષ રાખવું. હું દેહ સાથે એકમેક થઈને કદી રહ્યો નથી, હું તો મારા જ્ઞાન સાથે જ એકમેક છું. કદી પણ મારા જ્ઞાનથી છૂટીને છુંદેહ સ્વરૂપ થયો નથી. દેહમાં રહ્યો છતાં દેહથી જુદો જ છું. દેહનો વિયોગ થવા છતાં મારા જ્ઞાન તત્ત્વનો કદી નાશ થતો નથી. રોગાદિ શરીરમાં થાય, પરંતુ શરીર હું નથી, હું તો અતીન્દ્રિય જ્ઞાન છું, મારા જ્ઞાનમાં રોગાદિનો પ્રવેશ નથી. અહો ! એ જ્ઞાન તત્ત્વ કેવું? કે ગમે તેવા વ્યાધિ વગેરે પ્રસંગે પણ જેના લક્ષે શાંતિ રહે - જેના લક્ષે સર્વ પ્રકારની મૂંઝવણ ટળી જાય. અહો ! આવું જ્ઞાનમય આનંદ તત્વ!! તે હું જ છું. આવું લક્ષ રાખે તેને મૃત્યુ વખતે મૂંઝવણ થતી નથી; તે વખતે ય તેને ચૈતન્યની જાગૃતિ રહે છે. આવી આત્મભાવના જીવનમાં નિરંતર ભાવવા જેવી છે. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે!”
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy