SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૫ સ્વાનુભૂતિની ભાવના ૧. આત્માની ધૂન: મારો આત્મા જ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એવો નિર્ણય કરવાની જેને ધૂન લાગી તેના પ્રયત્નનો ઝુકાવ સ્વસમ્મુખ વળ્યા કરે છે; રાગ તરફ તેનો ઝુકાવ રહેતો નથી; રાગથી પાછી ખસીને પરિણતિ અંતરમાં વળે છે. ૨. આત્મભાવના : નિજ આત્માને જાણ્યા વિના બહુ દુઃખને પામ્યો અરે ! સિદ્ધસુખને ઝટ પામવા જિન ભાવના ભાવું હવે. સંતો કહે છે ધ્યાન જેનું પરમ જ્ઞાયકભાવ હું, કદી મરણને પામું નહિ, હું અમર આતમરામ છું. ૩. આત્માનું વેદનઃ ચૈતન્ય સન્મુખતાથી ધર્મીને જ્યાં પરમ અતીન્દ્રિય આનંદનું વેદન થયું ત્યાં પોતાના વેદનથી ખબર પડી કે મારા આનંદના વેદનમાં રાગનું આલંબન ન હતું, કે કોઈ પરનો આશ્રય ન હતો, મારા આત્માનો જ આશ્રય હતો. જ્ઞાની પાસેથી શ્રવણથી ને વિચારથી પહેલાં જે જાણ્યું હતું તે હવે પોતાના વંદનથી જાણું - આ જ સમ્યગ્દર્શન ! ૪. આત્માનું ચિંતન : આત્માના અચિંત્ય મહિમાનું ચિંતન, સંસારના સર્વ કલેશોને ભૂલાવી દે છે. આનંદ સ્વભાવથી ભરેલા આત્માને યાદ કરતાં, આનંદની ઊર્મી જાગે છે ને દુઃખ દૂર ભાગે છે. ૫. આત્મા સુખસ્વરૂપઃ જ્યાં દુઃખ કદી ન પ્રવેશી શકતું, ત્યાં નિવાસ જ રાખીએ; સુખ સ્વરૂપ નિજ આત્મને બસ, જ્ઞાતા થઈને ઝાંખીએ. હે જીવ ! તારા આત્મહિતને માટે તું ઝડપથી સાવધાન થા ! ૬. મેં જ્ઞાનાનંદ મારી હૂં (આત્મભાવના): मैं हूँ अपनेमें स्वयं पूर्ण , परकी मुजमें कुछ गंध नहीं । મેં ગરસ, ગરુપી, મરૂ, પર સે કુછ મી સંવા નહીં ! मैं रंग-रागसे भिन्न, भेद से भी मैं भिन्न निराला हूँ। मैं हूँ अखंड चैतन्यपिंड, निज रसमें रमने वाला हूँ॥ मैं ही मेरा कर्ता-धर्ता, मुझमें परका कुछ काम नहीं। मैं मुजमें रहनेवाला हूँ, परमें मेरा विश्राम नहीं ॥ મેં શુદ્ધ, યુદ્ધ, વિરુદ્ધ, , પરંપરિતિ સે ગામવી હૂં आत्मानुभूति से प्राप्त तत्त्व, मैं ज्ञानानंद स्वभावी हूँ॥
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy