________________
૪૫૧ ૬) ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત એવા છે ભેદવાળું છે, તે મનુષ્ય અને તિર્યંચને થાય છે. ૭) ગુણપ્રત્યય સુઅવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવોને જ થઈ શકે છે, પરંતુ બધા સમ્યગ્દષ્ટિ જીવોને તે હોતું નથી. ૮) અવધિજ્ઞાન રૂપી પુદ્ગલ તથા તે પુગલના સંબંધવાળા સંસારી જીવ(ન, વિકારી ભાવ)ને
પ્રત્યક્ષ જાણે છે. ૨. મન:પર્યયજ્ઞાનનું સ્વરૂપ
૧) વ્યાખ્યા જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મન:પર્યયજ્ઞાન છે. ૨) મન:પર્યયજ્ઞાન ઋજુમતિ અને વિપુલમતિ એવા બે પ્રકારનું છે. ૩) આ જ્ઞાન થવામાં મન અપેક્ષામાત્ર (નિમિત્તમાત્ર) કારણ છે, ઉત્પત્તિનું તે કારણ નથી. આ જ્ઞાનની ઉત્પત્તિ આત્માની શુદ્ધિથી થાય છે. આ જ્ઞાન દ્વારા સ્વ તથા પર બન્નેના મનમાં સ્થિત રૂપી પદાર્થો જાણી શકાય છે. બીજાના મનમાં સ્થિત પદાર્થને પણ મન” કહેવામાં આવે છે. તેના પર્યાયો (વિશેષો)ને મન:પર્યય કહે છે, તેને જે જાણે તે મન:પર્યયજ્ઞાન છે. ૪) જુમતિઃ મનમાં ચિંતવન કરેલ પદાર્થોને જાણે છે, અચિંતિત પદાર્થને નહિઅને તે પણ સરલરૂપથી ચિંતિત પદાર્થને જાણે છે. ૫) વિપુલમતિ ચિંતિત અને નહિ ચિંતિત પદાર્થને તથા વચિંતિત અને અવક ચિંતિત પદાર્થને પણ જાણે છે. ૬) મન:પર્યયજ્ઞાન વિશિષ્ટ સંયમધારીને જ થાય છે. ૭) વિપુલ નો અર્થ વિસ્તીર્ણ - વિશાળ - ગંભીર થાય છે. વિપુલમતિ જ્ઞાનમાં ઋજુ અને વક (એટલે સરળ અને આડા) સર્વ પ્રકારના રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે. ૮) પોતાના તથા પરના જીવિત, મરણ, સુખ, દુઃખ, લાભ, અલાભનું પણ જ્ઞાન થાય છે. વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા કે નહિ ચિંતવેલા કે આગળ જઈ તેનું ચિંતવન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોને વિપુલમતિ મન:પર્યયજ્ઞાની જાણે છે. આંટીઘૂંટીવાળી મનમાં સ્થિત વસ્તુઓનું આંટીઘૂંટી સહિત પ્રત્યક્ષ જ્ઞાન.
આ રીતે મન:પર્યયજ્ઞાનનું સ્વરૂપ જાણવું. ૩. કેવળજ્ઞાનનું સ્વરૂપ
૧) કેવળજ્ઞાનનો વિષય-સંબંધ સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયો છે. અર્થાત્ કેવળ જ્ઞાન એક સાથે સર્વ પદાર્થોને અને તેના સર્વ પર્યાયોને જાણે છે.