SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ૧૫ અનેકાન્ત સ્વરૂપ (રત્નત્રય સંબંધી) : દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી અનેકાન્ત સ્વરૂપ સમજવા જેવું છે. ૧. સમ્યગ્દર્શન ઃ તમામ સમ્યગ્દષ્ટિઓને એટલે ચોથા ગુણસ્થાનકથી સિદ્ધ સુધી બધાને એક સરખું છે. એટલે શુદ્ધાત્માની શ્રદ્ધા તે બધાને એક સરખી છે. શ્રદ્ધામાં કાંઈ ફેર નથી. ૨. સભ્યજ્ઞાન ઃ તમામ સમ્યગ્દષ્ટિઓને સમ્યક્ષણાની અપેક્ષાએ જ્ઞાન એક જાતનું છે, પણ જ્ઞાન કોઈને હીન, કોઈને અધિક હોય છે. તેરમા ગુણસ્થાનથી સિદ્ધ સુધીનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુઓને યુગપત્ જાણે છે. નીચેના ગુણસ્થાનકોમાં (ચારથી બાર) જ્ઞાન ક્રમે ક્રમે થાય છે. ત્યાં જો કે જ્ઞાન સમ્યક્ છે તો પણ ઓછું વધતું છે. તે અવસ્થામાં જે જ્ઞાન ઉઘાડરૂપ નથી તે અભાવરૂપ છે; આ રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં તફાવત છે. ૩. સમ્યક્ચારિત્ર ઃ તમામ સમ્યગ્દષ્ટિઓને જે કાંઈ ચારિત્ર પ્રગટ્યું હોય તે સમ્યક્ છે. અને દસમા ગુણસ્થાન સુધી જે પ્રગટ્યું નથી તે વિભાવરૂપ છે. ૪. જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ અભેદરૂપ હોય છે. ઉપર કહ્યા પ્રમાણે દર્શનગુણથી જ્ઞાનગુણનું જુદાપણું અને તે બન્ને ગુણથી ચારિત્રગુણનું જુદાપણું સિદ્ધ થાય છે. એ રીતે અનેકાન્ત સ્વરૂપ જાણવું. ૫. આ મેદ પર્યાયાર્થિક નયથી છે. દ્રવ્ય અખંડ-અભેદ હોવાથી દ્રવ્યાર્થિક નયે બધા ગુણો અખંડઅભેદ છે એમ સમજવું. ૧૬ આત્મજ્ઞાન : ‘આત્મજ્ઞાન જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન; વિશ્વશાંતિનું મૂળ છે, વીતરાગ વિજ્ઞાન.’’ આત્મજ્ઞાન સંબંધી આ ચાર મુદ્દા વિચારવા જેવા છે. ૧. સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. ૨. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહિ. અસત્સંગ તથા અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિતમાત્ર સંશય નથી. ૩. આરંભ-સમારંભનું અલ્પત્વ કરવાથી અસત્સંગ પ્રસંગનું બળ ઘટે છે - સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. ૪. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રગટ થાય છે - આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. ‘‘ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન.’’
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy