________________
૨. આત્મા શેય પદાર્થની સન્મુખ થઈને પોતાના ચૈતન્ય વ્યાપારને તે તરફ જોડે તે ઉપયોગ છે. ઉપયોગ
ચૈતન્યનું પરિણમન છે; તે કોઈ અન્ય શેય પદાર્થ તરફ લાગી રહ્યો હોય તો, આ-માની સાંભળવાની
શક્તિ હોય તો પણ સાંભળે નહિ. લબ્ધિ અને ઉપયોગ બન્ને મળીને જ્ઞાનની સિદ્ધિ થાય છે. ૩. પ્રશ્નઃ ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું ફળ (અથવા કાર્યો છે, તેને ભાવેન્દ્રિય શા માટે કહી ?
ઉત્તર : કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપયોગને (ઉપચારથી) ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ઘટ આકારે પરિણમેલ જ્ઞાનને ઘટ કહેવામાં આવે છે, એ ન્યાયે લોકમાં કાર્યને પાગ કારણ માનવામાં આવે છે. આત્માનું લિંગ ઇન્દ્રિય (ભાવેન્દ્રિય) છે; આત્મા તે સ્વ-અર્થ છે, તેમાં ઉપયોગ મુખ્ય છે
અને તે જીવનું લક્ષણ છે, તેથી ઉપયોગને ભાવ-ઈન્દ્રિયપણું કહી શકાય છે. ૪. ઉપયોગ અને લબ્ધિ એ બન્નેને ભાવેન્દ્રિય એ માટે કે છે કે તેઓ દ્રવ્યપર્યાય થી ગુણપર્યાય છે.
ક્ષયોપશમહેતુક લબ્ધિ પણ એક પર્યાય યા ધર્મ છે અને ઉપયોગ પણ એક ધર્મ છે, કેમ કે તે આત્માનો
પરિણામ છે. તે ઉપયોગ દર્શન અને જ્ઞાન એવા બે પ્રકારનો છે. ૫. ધર્મ, સ્વભાવ, ભાવ, ગુણપર્યાય, ગુણ એ શબ્દો એકાWવાચક છે. ૬. પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનની ક્ષયોપશમલબ્ધિ તો સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય
જીવોને હોય છે; પણ જે જીવ પરનું લક્ષ ઢાળી સ્વ (આત્મા) તરફ ઉપયોગને વાળે છે તેને આત્માનું જ્ઞાન (સમ્યજ્ઞાન) થાય છે, અને જે જીવ પર તરફ જ ઉપયોગને વાળ્યા કરે છે તેને મિથ્યાજ્ઞાન થાય
છે અને તેથી તેનું અવિનાશી કલ્યાણ થતું નથી. ૭. જીવને છમસ્થ દશામાં જ્ઞાનનો ઉઘાડ અર્થાત્ ક્ષયોપશમહેતુક લબ્ધિ ઘણી હોય તો પણ તે બધા
ઉઘાડનો ઉપયોગ એક સાથે કરી શકતો નથી, કેમ કે તેનો ઉપયોગ રાગમિશ્રિત છે તેથી રાગમાં રોકાઈ જાય છે, તે કારણે જ્ઞાનનો ઉઘાડ (લબ્ધિ) ઘણો હોય તો પણ વ્યાપાર (ઉપયોગ) તો અલ્પ હોય છે. જ્ઞાનગુણ તો દરેક જીવને પરિપૂર્ણ છે; વિકારી દશામાં જ્ઞાનગુણની પર્યાય ઉઘડતી નથી, એટલું જ નહિ પણ પર્યાયમાં જેટલો ઉઘાડ હોય તેટલો પણ વ્યાપાર એક સાથે કરી શકતો નથી. આત્માનું લક્ષ પર તરફ હોય ત્યાં સુધી તેની આવી દશા હોય છે. માટે જીવે સ્વ અને પરનું યથાર્થ ભેદવિજ્ઞાન કરવું જોઈએ, ભેદવિજ્ઞાન થતાં તે પોતાનો પુરુષાર્થ સ્વ તરફ જ વાળ્યા કરે છે, અને તેથી ક્રમે ક્રમે રાગ ટાળીને બારમા ગુણસ્થાને સર્વથા રાગ ટળી જતાં વીતરાગતા થાય છે. ત્યાર પછી થોડા જ વખતમાં પુરુષાર્થ વધતાં જ્ઞાનગુણ જેટલો પરિપૂર્ણ છે તેટલો જ પરિપૂર્ણ તેનો પર્યાય ઉઘડે છે; જ્ઞાનપર્યાય પૂર્ણ ઉઘડી ગયા પછી જ્ઞાનના વ્યાપારને એક બાજુથી બીજી તરફ વાળવાનું રહેતું
નથી; માટે દરેક મુમુક્ષુ જીવોએ યથાર્થ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે જેનું ફળ કેવળજ્ઞાન છે. ૮. જાણવાનું કામ ભાવેન્દ્રિયથી થાય છે. ઉપયોગરૂપ ભાવેન્દ્રિયથી જ્ઞાન થાય છે એ બરાબર સમજવું.