SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૯ ભલે નજીક રહે પણ જો જ્ઞાનપરિણામથી જ્ઞાનીને ન ઓળખે, ને પોતામાં જ્ઞાનપરિણામ પ્રગટન કરે, તો તે ખરેખર ‘જ્ઞાની'ની નજીક નથી રહેતો, જ્ઞાનીના ભાવથી તે ઘણો જ દૂર છે. જ્યારે જીવ ભેદજ્ઞાન કરે છે ત્યારે તે આસ્રવોથી પાછો વળે છે એટલે કે બંધભાવર્થ છૂટીને મોક્ષમાર્ગ તરફ વળતો જાય છે. દુઃખમય એવા આસવો અને સુખરૂપ એવો જ્ઞાનસ્વભાવ એ બન્ને ભિન્ન છે, એવું ભેદજ્ઞાન કરનાર જીવ તે ક્ષણે જ જ્ઞાનસ્વભાવ સાથે એકતા કરીને આસવોથી છૂટો પડે છે - આવા જ્ઞાનપરિણામનું નામ ભેદજ્ઞાન છે. તેના વડે જ જ્ઞાની ઓળખાય છે. તે જ્ઞાની ધર્માત્મા જાણે છે કે હું પરથી ભિન્ન એક છું, વિકાર રહિત શુદ્ધ છું, ને જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ છું. જ્ઞાનથી ભિન્ન જે કોઈ ભાવો છે તે હું નથી. આ રીતે તે ભેદજ્ઞાનથી ધર્માત્મા અસાર અને અશરણ એવા સંસારથી પાછો વળીને પરમ સારભૂત અને શરણરૂપ પોતાના સ્વભાવ તરફ વળે છે; એટલે સ્વભાવ તરફ વળેલાં જ્ઞાનપરિણામને જ તે કરે છે, જ્ઞાનપરિણામ સિવાય બીજા કોઈ ભાવનો કર્તા તે થતો નથી, તેને તો પોતાથી ભિન્ન જાણીને તે તેનો જ્ઞાતા જ રહે છે. જ્ઞાની પોતાના જ્ઞાનમય પરિણામને જ કરે છે; જ્ઞાનમય પરિણામનું જ કર્તાપણું તે જ્ઞાનીનું લક્ષણ છે. તે જ્ઞાનીની નિશાની છે. રાગાદિના અકર્તાપણારૂપ જે જ્ઞાનપરિણામ તે જ જ્ઞાનીની ધર્મધજાનું ચિહ્ન છે, તે ચિહ્ન વડે જ્ઞાની રાજા ઓળખાય છે. અને એ રીતે જ્ઞાનપરિણામ વડે જ્ઞાનીને ઓળખનાર જીવ પોતે તે કાળે જ્ઞાનસ્વરૂપ થઈને, કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. જ્યારથી ભેદજ્ઞાન થયું ત્યારથી જગતનો સાક્ષી પુરાણ પુરુષ પ્રકાશમાન થયો. ભેદજ્ઞાન થતાં જ ચૈતન્ય ભગવાન આત્મા પોતાના જ્ઞાનપરિણામથી ઝળહળી ઊઠ્યો, આનંદથી શોભી ઊઠ્યો. આ રીતે સમ્યગ્દષ્ટિ જીવનું ચિહ્ન બતાવ્યું. જ્ઞાનીની ઓળખાણની રીત આચાર્યદ અબૂત બતાવી ૧૪ જ્ઞાનીની ઓળખાણ જે જ્ઞાની છે તે જીવ જ્ઞાનસ્વભાવી પોતાના આત્માને રાગાદિથી ભિન્ન જાણતો થકો પોતાના નિર્મળ જ્ઞાનપરિણામને જ કરે છે, એ સિવાય અન્ય કોઈ પરભાવોને જ્ઞાનના કાર્યપણે જરાપણ કરતો નથી, તેનો તે જાણનાર જ રહે છે. આ જ્ઞાનીનું ચિહ્ન છે. પુદ્ગલ કર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ છે કે નથી ? તેના ઉત્તરરૂપે કહે છે :“વિધ વિધ પુદગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે; પરદ્રવ્ય પર્યાયન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે.” -૭૬ ગાથાર્થ જ્ઞાની અનેક પ્રકારના પુગલકર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પયં યમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઊપજતો નથી. જીવ પુદ્ગલ કર્મને જાણે છે તો પણ તેને પુદ્ગલ સાથે કર્તા-કર્મપણું નથી. પોતાના પરિણામને જાણતા એવા જીવને પુગલ સાથે કર્તા-કર્મ ભાવ છે કે નથી? તેનો ઉત્તર કહે છે?
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy