________________
૪૨૮ “પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે; તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે.” ગાથાર્થ જે બાત્મા આ કર્મના પરિણામને તેમજ નોર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની
વિશેષાર્થ: જે આત્મા જ્ઞાની થયો તે પોતાને એક જ્ઞાયક સ્વભાવી જ જાણતો થકો જ્ઞાનભાવે જ પરિણમે છે, ને વિકાના કે કર્મના કર્તાપણે તે પરિણમતો નથી. આ જ્ઞાનીનું લક્ષણ છે.
અહીં જ્ઞાનપરિણામને જ જ્ઞાનીનું ચિહ્ન કહ્યું. ચિહ્ન તો જ્ઞાનમાં હોય, કાંઈ શરીરમાં કે રાગમાં જ્ઞાનીનું ચિદ ન હોય. શરીરની અમુક ચેષ્ટા વડે કે રાગ વડે જ્ઞાની ઓળખાતા નથી, જ્ઞાની તો તેનાથી ભિન્ન છે. જે જીવ જ્ઞાનને અને રાગને એકમેક નથી કરતો પણ જુદા જ જાણે છે, જુદાં જાણતો થકો રાગાદિનો કર્તા નથી થતો પણ જ્ઞાતા જ રહે છે ને જ્ઞાનપરિણામનો જ કર્તા થઈને પરિણમે છે, તેને તું જ્ઞાની જાણ.
વ્યાપ્ય -વ્યાપકના સિદ્ધાંત ઉપર અહીં જ્ઞાનીની ઓળખાણ કરાવી છે. જ્ઞાનપરિણામની સાથે જેને વ્યાપ્ય-વ્યાપકપણું છે તે જ્ઞાની છે; વિકાર સાથે જેને વ્યાપ્ય-વ્યાપકપણું છે તે અજ્ઞાની છે. વ્યાપ્યવ્યાપકપણું એક સ્વરૂપમાં જ હોય, ભિન્ન સ્વરૂપમાં ન હોય; એટલે જેને જેની સાથે એકતા હોય તેને તેની સાથે જ વ્યાપ્ય-વ્યાપકપણું હોય અને તેની જ સાથે કર્તા-કર્મપણું હોય. જ્ઞાની જ્ઞાન સાથે જ એકતા કરીને તેમાં જ વ્યાપતો થકો તેનો કર્તા થાય છે, એટલે જ્ઞાનરૂપ કાર્યથી જ્ઞાની ઓળખાય છે. આવો જ્ઞાની વિકાર સાથે એકતા કરતો નથી, તેમાં તે વ્યાપતો નથી ને તેનો તે કર્તા થતો નથી. આ રીતે જ્ઞાનને વિકાર સાથે એકતા નથી. જ્ઞાનીનું આવું લક્ષણ જે જીવ ઓળખે તેને ભેદજ્ઞાન થાય, તેને વિકારનું કર્તુત્વ ઊડી જાય અને જ્ઞાનમાં જ એકતારૂપે પરિણમતો થકો તે જ્ઞાની થાય. ભેદજ્ઞાન વગર જ્ઞાનીની સાચી ઓળખાણ થતી નથી. - જેમ ઘડાને અને માટીને એકતા છે, પરંતુ ઘડાને અને કુંભારને એકતા નથી, તેમ જ્ઞાનપરિણામને અને આત્માને એકતા છે પરંતુ જ્ઞાનપરિણામને અને રાગને એકતા નથી, એટલે જ્ઞાનપરિણામ વડે જ જ્ઞાનીનો આત્મા ઓળખાય છે; જ્ઞાનપરિણામને રાગથી ભિન્ન ઓળખતાં પોતામાં પણ જ્ઞાન અને રાગની ભિન્નતાનું વદન થઈને, જ્ઞાનપરિણામ સાથે અભેદ એવો પોતાનો આત્મા ઓળખાય છે. જ્ઞાનીને ઓળખાવાનું પ્રયોજન તો પોતાના આત્માની ઓળખાણ કરવી તે જ છે. જેણે ભેદજ્ઞાન કરી લીધું છે એવા જીવોની ઓળખાણ વડે આ જીવ પોતામાં પણ એવું ભેદજ્ઞાન કરવા માંગે છે. સામા જ્ઞાનીના આત્મામાં જ્ઞાન અને રાગને જુદા ઓળખે તે જીવ પોતામાં પણ જ્ઞાન અને રાગને જુદા ઓળખે, એટલે તેને જરૂર ભેદજ્ઞાન થાય. ભેદજ્ઞાન થતાં આ જીવ સકળ વિકારના કર્તુત્વ રહિત થઈને જ્ઞાયકપણે શોભે છે. વિકારના કર્તૃત્વમાં તો જીવની શોભા હણાય છે, ને ભેદજ્ઞાન વડે તે કર્તુત્વછૂટતાં આનંદમય જ્ઞાનપરિણામથી તે જીવ શોભી ઊઠે છે. આવી જ્ઞાનપરિણામ તે જ જ્ઞાનીને ઓળખવાની નિશાની છે.
આ રીતથી જેણે જ્ઞાનીને ઓળખ્યા તેણે જ જ્ઞાનીની ખરી નીટતા કરી, જેવો જ્ઞાનીનો ભાવ છે તેવો જ ભાવ તેણે પોતામાં પ્રગટ કર્યો એટલે ભાવ અપેક્ષાએ તેને જ્ઞાની સાથે એકતા થઈ. બાકી ક્ષેત્રથી