________________
૪૨૭ અર્થાત્ ગમે તેમ કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને સમજીને સમ્યગ્દર્શનરૂપી રત્નથી પોતાના
આત્માને ભૂષિત કરે અને તે સમ્યગ્દર્શનને અતિચાર રહિત બનાવે. ૯. ધર્મરૂપી કમળની મધ્યમાં સમ્યગ્દર્શનરૂપી કળી શોભાયમાન છે, નિશ્ચય વ્રત, શીલ વગેરે તે કળીના
પાંદડાં છે. માટે ગૃહસ્થોએ અને મુનિઓએ તે સમ્યગ્દર્શનરૂપી કળીમાં અતિચાર આવવા ન દેવો. ૧૦. હવે પાંચ અતિચારનું સ્વરૂપ કહીએ છીએ. -
૧) શંકા પોતાના આત્માને જ્ઞાતા-દ્રષ્ટા, અખંડ, અવિનાશી અને પુદ્ગલથી ભિન્ન જાણીને પણ આલોક, પરલોક, મરણ, વેદના, અરક્ષા, અગુપ્તિ અને અકસ્માત એ સાત ભયને પ્રાપ્ત થવું અથવા તો અહંત સર્વજ્ઞ વીતરાગદેવે કહેલાં તત્ત્વના સ્વરૂપમાં સંદેહ થવો તે શંકા નામનો અતિચાર છે. ૨) કાંક્ષા: આ લોક કે પરલોક સંબંધી ભોગોમાં તથા મિથ્યાષ્ટિઓના જ્ઞાન કે આચરણાદિમાં વાંછા થઈ આવવી તે વાંછા અતિચાર છે. આ રાગ છે. ૩) વિચિકિત્સાઃ રત્નત્રય વડે પવિત્ર પણ બાહ્યમાં મલિન શરીર એવા ધર્માત્મા. મુનિઓને દેખીને તેમના પ્રત્યે અથવા ધર્માત્માના ગુણો પ્રત્યે કે દુઃખી-દારિદ્રી જીવોને દેખીને તેમના પ્રત્યે ગ્લાનિ થઈ આવવી તે વિચિકિત્સા અતિચાર છે. આ દોષ છે. ૪) અન્યદષ્ટિ પ્રશંસા આત્મસ્વરૂપના અજાણ જીવોના જ્ઞાન, તપ, શીલ, ચારિત્ર, દાન વગેરેને પોતામાં પ્રગટ કરવાનો મનમાં વિચાર થવો અગર તો તેને સારા જાણવા તે અન્ય િપ્રશંસા અતિચાર છે. (અન્યદષ્ટિ એટલે મિથ્યાદષ્ટિ) ૫) અન્યદષ્ટિ સંસ્તવઃ આત્મસ્વરૂપના અજાણ જીવોના જ્ઞાન, તપ, શીલ, ચારિત્ર, દાનાદિકના
ફળને સારું જાણીને વચન દ્વારા તેની સ્તુતિ થઈ જવી તે અન્યદષ્ટિ સંસ્તવ અતિચાર છે. ૧૧. આ બધા દોષો છતાં સમ્યગ્દષ્ટિ જીવ તેને દોષ તરીકે ગણે છે અને તે દોષોનો તેને ખેદ છે, માટે તે
અતિચાર છે. પણ જે જીવ તે દોષોને દોષ તરીકે ન જાણે અને ઉપાદેય ગણે તેને નો તે અનાચાર છે
એટલે કે તે તો મિથ્યાદષ્ટિ જ છે. ૧૨. આત્માનું સ્વરૂપ સમજવા માટે શંકા કરીને જે પ્રશ્ન કરવામાં આવે તે શંકા નથી પણ આશંકા છે;
અતિચારોમાં જે શંકા દોષ કહ્યો છે તેમાં તેનો સમાવેશ થતો નથી.
પ્રશંસા અને સંસ્તવમાં એટલો ભેદ છે કે પ્રશંસા મન દ્વારા થાય છે અને સંસ્તવ વચન દ્વારા થાય છે. ૧૩ જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન :
ભેદજ્ઞાન માટે જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે અને ભેદજ્ઞાન માટેનો જે અભ્યાસ કરે છે એવો શિષ્ય પૂછે છે કે પ્રભો! આત્મા જ્ઞાનસ્વરૂપ અથવા જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું લક્ષણ કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે :