SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ આવી રીતે સાતે તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ જાણે - યથાર્થ તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય તો સમ્યગ્દર્શન થાય. મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. માટે મોક્ષની શ્રદ્ધા કરવી તે પ્રયોજનભૂત છે. જીવ-અજીવને જેમ છે તેમ માનવા. આસ્રવને હેય માનવો - બંધને અહિતરૂપ માનવો. સંવરનો ઓળખી તેને અંગીકાર કરવા જેવો માનવો અને નિર્જરા અધૂરી શુદ્ધદશા છે માટે પરમ હિતનું કારણ છે એમ માનવું. મોક્ષ તે પૂર્ણ શુદ્ધિની વૃદ્ધિ છે તે પરમ હિત છે એમ માનવું. આવું સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. ૧૨ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર · ૧. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિની પ્રશંસા અને અન્યદૃષ્ટિનું સંસ્તવ એ પાંચ સમગ્દર્શનના અતિયારો છે. ૨. જે જીવનું સમ્યગ્દર્શન નિર્દોષ હોય તે વ્રત બરાબર પાળી શકે છે. તેથી અહીં પ્રથમ સમ્યગ્દર્શનના અતિયારો જણાવ્યા છે કે જેથી તે અતિચાર ટાળી શકાય. ૩. ઔપમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ તો નિર્મળ હોય છે, તેમાં અતિચાર હોતા નથી. ક્ષયોપશમિક સમ્યક્ત્વ ચળ, મળ અને અગાઢ એ દોષ સહિત હોય છે એટલે તેમાં અતિચાર લાગે છે. ૪. સમ્ય દૃષ્ટિને આઠ ગુણ (-અંગ, લક્ષણ અર્થાત્ આચાર) હોય છે, તેના નામ - ૧) નિઃશંકા ૨) નિઃકાંક્ષા ૩) નિર્વિચિકિત્સા ૪) અમૂઢદિષ્ટ ૮) પ્રભાવના ૫) (પગ્રહન ૬) સ્થિતિકરણ ૭) વાત્સલ્ય ૫. સમ્ય દર્શનના પાંચ અતિચાર કહ્યા તેમાંથી પહેલાં ત્રણ તો નિઃશંકા, નિઃકાંક્ષા અને નિર્વિચિકિત્સા - પહેલાં ત્રણ ગુણોમાં આવતા દોષો છે. અને બાકીના બે દોષો જેવા કે અન્યદૃષ્ટિની પ્રશંસા અને અન્યદૃષ્ટિનું સંસ્તવ - આ અતિચારોનો સમાવેશ છેલ્લા પાંચ ગુણોના દોષમાં થાય છે. ૬. આ અતિચારો ચોથાથી સાતમા ગુણસ્થાનવાળા ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિને હોય છે એટલે કે ક્ષાયો-શમિક સમ્યગ્દર્શનવાળા મુનિ, શ્રાવક કે સમ્યગ્દષ્ટિ એ ત્રણેને આ અતિચાર હોઈ શકે છે. આ અતિચારમાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય નિમિત્ત છે. અંશે ભંગ થાય (અર્થાત્ દોષ લાગે) તેને અતિચાર કહે છે, તેના પરિણામે સમ્યગ્દર્શન નિર્મૂળ થતું નથી, માત્ર મલિન થાય છે. ૭. શુદ્ધાત્મ સ્વભાવની પ્રતીતિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શનના સદ્ભાવમાં સમ્યગ્દર્શન સંબંધી વ્યવહાર દોષો હોવા છતાં ત્યાં મિથ્યાત્વ પ્રકૃત્તિઓનું બંધન થતું નથી. વળી બીજા ગુણસ્થાને પણ સમ્યગ્દર્શન સંબંધી વ્યવહાર દોષો હોવા છતાં ત્યાં પણ મિથ્યાત્વ પ્રકૃત્તિનું બંધન નથી. ૮. સમ્યગ્દર્શન એ ધર્મરૂપ વૃક્ષની જડ છે, મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે; તેના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ષણાને પામતા નથી. માટે લાયક જીવોને માટે એ ઉચિત છે કે જે પ્રકારે બને તે રીતે
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy