________________
૪૨૪
વર્તમાન જ્ઞાનની પર્યાયમતિ-શ્રુતજ્ઞાનરૂપ છે - પાણી જેમ દૂધમાં મળેલું છે. ભેદજ્ઞાનરૂપી શસ્ત્ર જ વિકારરૂપી દુશ્મનને મા છે - મિથ્યાત્વને મારે છે. અતીન્દ્રિય જ્ઞાન જ કાર્યકારી છે. અતીન્દ્રિય જ્ઞાન - આત્મામાં રહે છે
- આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે - આત્માના આશ્રયથી જ થાય છે
- આત્મામાં જઈ સમાઈ જાય છે. ઉપયોગ બહુ ચંચળ છે. એના માટે વારંવાર આત્મતત્ત્વનું ઘૂંટણ-સ્થિરતા-તન્મયતા-શક્તિનું જોર લગાવવું પડે.
અંદરમાં જવું - બહાર ન દેખાય. સૂક્ષ્મ બનવું - સ્થૂળતાથી ન પકડાય. સમ બનવું - કાંઈ પણ વિષમતા હોય તો ન પકડાય.
નિકટ રહેવું - દૂર નહિ જવું - આત્માની સન્મુખ જ રહેવું. ઉપયોગ અંદર રહે એ જ પ્રયોજનભૂત છે. ૧૧ સારભૂત : વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જીવાદિ સાત તત્ત્વો છે. જે પ્રમાણે ભગવાને સ્વતંત્ર કહ્યા છે તે પ્રમાણે ઓળખીને ‘આ તત્વ આમ જ છે, બીજી રીતે નથી' એમ પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે.
વિપરીત અભિનિવેશ એટલે ઊંધો અભિપ્રાય, તેનાથી રહિત એવું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દાનમાં ‘સમ્યક’ શબ્દનો અર્થ વિપરીત માન્યતા રહિત છે અને દર્શન તે પ્રતીતિ છે. સમ્યક શબ્દ તે પ્રશંસાવાચક છે. વિપરીતતા રહિત યથાર્થ શ્રદ્ધાન કરવું તે જ પ્રશંસાવાચક છે.
તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં તત્ત્વ અને અર્થ એવા બે શબ્દ કહ્યાં છે. ત” શબ્દ છે તે ‘ય’ શબ્દની અપેક્ષા સહિત છે. તેથી જેનું પ્રકરણ હોય તેને ‘ત’ કહીએ છીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ છે તેને તત્ત્વ જાણ; તથા જાણવામાં આવતાં એવા જે દ્રવ્ય વા ગુણ પર્યાય છે તેનું નામ અર્થ છે. વળી તત્ત્વ કહેતાં પોતાનું સ્વરૂપ એ વડે સહિત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે.
સાતે તત્ત્વો તે અર્થ છે અને તેમનો પોતાનો જે ભાવ તે તત્ત્વ છે. આવા તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તત્ત્વોના ભાવનું ભાસન થયા વિના સાચી પ્રતીતિ થાય નહિ. વસ્તુ શું છે અને તેનું સ્વરૂપનું છે તે જાણીને શ્રદ્ધા કરે તો યથાર્થ પ્રતીતિ થાય. માટે કહ્યું કે વિપરીત માન્યતા રહિત તત્વાર્થ શ્રદ્ધાન તે રામ્યગ્દર્શનનું લક્ષણ છે.