SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૩ શુદ્ધાત્મા કોઈનું કારણ-કાર્ય નથી.. શુદ્ધાત્માની દષ્ટિ કારણ છે. સુખનું કારણ છે. જે કારણ કાર્યરૂપે પરિણમે તે જ કારણ છે. આ રીતે પાંચ લબ્ધિઓના લક્ષણ જાણવા. ૧૦ સમ્યગ્દર્શનના લક્ષણ (સાર) : સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ છે. ૧. પરમાર્થ - દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ. ૨. તત્ત્વાર્થ શ્રદ્ધાન. ૩. સ્વ-પરનું શ્રદ્ધાન. ૪. આત્માનું શ્રદ્ધાન. ૫. સમ્યક્ત્વ, મિથ્યાત્વ અને સમ્યક્ મિથ્યાત્વ (મિશ્ર) એ ત્રણ પ્રકૃત્તિ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકૃત્તિ એમ સાત પ્રકૃત્તિઓના ઉદયના અભાવથી ઉપશન, ક્ષયોપશમ અને ક્ષયથી પ્રાપ્ત શ્રદ્ધાગુણની નિર્મળ પરિણતિ. આમાં પાંચમું લક્ષણ સાધ્ય છે અને બાકીના ચાર એના સાધન છે. સમ્યગ્દર્શનમાં સાત વાત આવે છે ઃ ૧) વિષય - ધ્રુવ આત્મા એક જ ૨) સ્વામી - પ્રમાણનો આત્મા એક જ. ૩) કારણ - શુદ્ધાત્મા એક જ. ૪) કાર્ય - શુદ્ધાત્માની દષ્ટિ - પ્રતીતિ. ૫) રૂપ - આત્મરૂપ ૬) ફળ - આત્મિક સુખ, શાંતિ, વેદન. ૭) લક્ષણ - સ્વસંવેદન-સ્વાનુભૂતિ-આત્માનુભૂતિ. સમ્યગ્દર્શનમાં ધ્યેય ધ્રુવ પરમાત્મા છે. ૧) શ્રદ્ધાનો શ્રદ્ધેય - ધ્રુવ પરમાત્મા ૨) જ્ઞાનનો વિષય ધ્રુવ પરમાત્મા ધ્રુવ પરમાત્મા ૩) ચારિત્રનો વીર્ય - ૪) ઉપાદેય ધ્રુવ પરમાત્મા ૫) ધ્યાનનો ધ્યેય ધ્રુવ પરમાત્મા -
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy