________________
૪૨૨ આ સમયે ત્રણ લાઈન નીકળે છે. ૧) કષાયની મંદતા ૨) જ્ઞાનની ૩) આત્મસન્મુખ થવાની - ભીતર જવાનો પ્રયોગ :મનને સંગ છૂટતો જાય છે - અસંગ બનવાનો અભ્યાસ સવિકલ્પ અવસ્થામાં પણ આનંદ-હર્ષ
આવે છે. આત્મભાવના - ધ્યાનમાં જ્ઞાનનું વેદન - રાગ ગૌણ - જ્ઞાન મુખ્ય – અભેદજ્ઞાનના પ્રયોગ. ૫. કરણ લબ્ધિઃ દષ્ટિ જ્યારે આત્મસન્મુખ થાય ત્યારે જ્ઞાન પણ ત્યાં જાય છે - ત્યારે ત્રણ અવસ્થા થાય
૧) જઘન્ય - ૨૫ ટકા પુરુષાર્થ - એટલી એકાગ્રતા. ૨) મધ્યમ - ૫૦ ટકા પુરુષાર્થ – બન્નેની શક્તિ સમાન ૩) પ્રતિહત - ૫૧ ટકા પુરુષાર્થ - તાકાત જ્યારે વધારે થાય છે. પ્રતિહત પુરુષાર્થ - ૫૧ થી ૬૮ ટકા સુધી. આનંદ-ઉલ્લાસ-પ્રફુલ્લતા-પુરુષાર્થમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે છે અપ્રહિત પુરુષાર્થ - ૬૯ થી ૯૯ ટકા સુધી. સમ્યક સન્મુખ - સરાગ સ્વસંવેદન અનંતાનુબંધી ચોકડીનો જ્યારે અનંતમો અનુભાગ રસ રહે છે.
આત્માના યુદ્ધમાં સમય લાગે-કાળલબ્ધિ પર આધાર છે. દરેક જીવની યોગ્યતા અલગ અલગ છે. અંતર્મુહુતથી છ મહિના અભ્યાસ કરવાથી કાર્ય થાય. સ્વસંવેદન - પોતાથી પોતાને વેદવું. જ્ઞાનમાં દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવ બન્ને હોય છે શ્રદ્ધામાં ફક્ત એક જ ધ્રુવ પદાર્થ - દ્રવ્યદૃષ્ટિ ચારિત્રમાં રાગ અને જ્ઞાનને છેદવા પડશે. આ કરણલબ્ધિરૂપ ભાવ જ્યારે થાય છે ત્યારે આત્મા નિયમથી સમ્યગ્દર્શન પ્રગટાવી લે છે.
કરણલબ્ધિમાં કરણ ભાવોને કરણલબ્ધિ કહે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવાવાળા કરણભાવોની પ્રાપ્તિન કરણલબ્ધિ કહે છે. એના ત્રણ ભેદ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ - અધઃકરણ (૨) અપૂર્વ કરણ (૩) અનિવૃત્તિકરણ. (૧) જે કરણ પરિણામ એ પહેલાં પ્રાપ્ત ન થયા હોય તે અધઃકરણ. (૨) જેમાં પરિણામ પ્રત્યેક સમયે અપૂર્વ નવા નવા પરિણામ તે અપૂર્વકરણ. (૩) જેમાં એક સમયમાં એક જ પરિણામ થાય તે અનિવૃત્તિકરણ. કાર્ય સિદ્ધિમાં દૃષ્ટિ - જ્ઞાન-ચારિત્ર અને વીર્ય સાથે કામ કરે છે. આત્મા અકારણ પરમાત્મા છે. કાર્ય-કારણ એક જ દ્રવ્યમાં હોય તો કામ થાય. કારણ - શુદ્ધાત્માનું લક્ષ્ય-શ્રદ્ધાન-જ્ઞાન-ધ્યાન દષ્ટિ કાર્ય - સ્વાનુભૂતિ