________________
૪૧૬ ગૃહ : પોતાના મુખેથી પોતાની પ્રશંસા કરતા નથી. પોતાના ગુણોને છુપાવે છે. ધર્મ કરવામાં અહંકાર કરતા નથી. ભક્તિ: શાસ્ત્ર અભ્યાસ કરે છેગુણવાન ધર્માત્માઓનો યથાયોગ્ય વિનય કરે છે.
આ બધા ભાવોને ઉપચારથી સમ્યગ્દર્શનના લક્ષણો કહેવામાં આવ્યા છે. આ નિશ્ચય(ખરાં) લક્ષણ નથી. તેનું ખરું લક્ષણ તો શુદ્ધાત્માની પ્રતીતિ છે. સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ એ નિશ્ચય લક્ષણ છે. ૪. સમ્યગ્દર્શનના આઠ અંગ :
જેમ મનુષ્ય શરીરના હાથ, પગ આદિ અંગ છે તેમ સમ્યકત્વના પણ આઠ અંગ શાસ્ત્રમાં કહ્યા છે. ૧) નિઃશંકિત ૨) નિઃકાંક્ષિત્વ ૩) નિર્વિચિકિત્સત્વ ૪) અમૂઢદષ્ટિ ૫) ઉપબૃહણ ૬) સ્થિતિકરણ ૭) પ્રભાવના ૮) વાત્સલ્ય. ૧. નિઃશંકત્વઃ ભયનો અભાવ થવો અથવા તત્વોમાં સંશયનો અભાવ થવો તે નિઃશંકત્વ છે. સમકિતી
જીવને પરપદાર્થોનો ભય હોતો નથી. પોતાની સ્થિરતાની નબળાઇથી ભય થાય તે વાત જુદી છે.
પોતાના અસ્તિત્વમાં શંકા હોતી નથી. કોઈ પણ પ્રકારની ભવિષ્યની શંકા નથી હોતી. ૨. નિઃકાંત્વિ: પરદ્રવ્યમાં રાગરૂપ વાંછાનો અભાવ તે નિઃકાંક્ષિત્વ છે. બધી ઇચ્છાઓનો અભાવ થઈ
ગયો હોય છે. સ્વને ચૂકીને પુણ્યની પણ ઇચ્છા થતી નથી. પુણ્ય પરિણામ એ પરદ્રવ્ય હોય છે એમ નિઃશંક હોવાથી તેની ઇચ્છા હોતી નથી. ઇચ્છા જ દુઃખનું મૂળ છે એ વાતની પ્રતીતિ થઈ ગઈ છે..
અને જગતના દ્રવ્યો આપણી ઈચ્છા પ્રમાણે નથી પરિણમતા એ પણ શ્રદ્ધામાં આવી ગયું છે. ૩. નિર્વિચિકિત્સત્વઃ પરદ્રવ્યોમાં દ્વેષરૂપ ગ્લાનિનો અભાવ તે નિર્વિચિકિત્સત્વ છે. સમકિતી કોઈને શત્રુ
મિત્ર માનતો નથી. સમકિતી માને છે પરદ્રવ્યથી મને કોઈ લાભ નથી મને કોઈ નુકસાન નથી તેથી તેને પરદ્રવ્ય પ્રત્યે રાગ-દ્વેષ થતાં નથી. કોઈ પણ ન ગમતું પરિણામ જોઈને તેને કોઈ પણ જાતની જુગુત્સા કે ગ્લાનિ થતી નથી. સદાય પોતાના જ્ઞાનાનંદસ્વરૂપનું ભાન ને શ્રદ્ધા હોવાથી કોઈના પણ પરિણામ જોઈને તેના પરિણામ બગડતાં નથી. રાગાદિ મારો સ્વભાવ નથી - નિમિત્તથી મને કાંઈ
લાભ નથી એ બધું આ અંગમાં આવે છે. ૪ અમૂઢ દટિવઃ તત્ત્વોમાં અને દેવાદિકમાં અન્યથા પ્રતીતિરૂપ મોહનો અભાવ તે અમૂઢ દષ્ટિત્વ છે.
જીવાદિ સાત તત્ત્વોમાં અને દેવ-ગુરુ-શાસ્ત્રના સ્વરૂપમાં સમ્યકત્વી ભૂલ કરતો નથી. ૫. ઉપબૃહાગઃ પોતાના આત્માના સ્વભાવમાં વીતરાગી ધર્મ વધારવા અથવા બીજાને ધર્મમાં નિમિત્ત
થવું તે ઉપબૃહણ છે. તથા એ જ અંગનું નામ ઉપગૃહન પણ કહીએ છીએ. ધર્માત્માના દોષ ઢાંકવા એવો ઉપગૂહનનો અર્થ સમજવો. જેનાથી ધર્મની હાનિ ન થાય અને બીજા જીવોની ધર્મ પ્રત્યે
શ્રદ્ધા ન ડગે એ વાત લક્ષમાં રાખી ધર્માત્માના દોષ ઢાંકવાની વાત છે. ૬. સ્થિતિકરણઃ પોતાના સ્વભાવમાં વા જિનધર્મમાં પોતાને વા પરનું સ્થાપન કરવો તે સ્થિતિકરણ