________________
૪૧૭ અંગ છે. પોતાના જ્ઞાનનંદ સ્વભાવમાં સ્થિરતા કરવી તે સ્થિતિકરણ અંગ છે. બીજા જીવોને એવા
પ્રસંગોએ ધર્મમાં સ્થિરતા કરવામાં નિમિત્ત થાય છે તે પણ સ્થિતિકરણ અંગ છે. ૭. પ્રભાવના પોતાના સ્વરૂપનું વા જિનધર્મનું માહાત્મ પ્રગટ કરવું અને જીવોને સધર્મની વાત
ઉપદેશવી એ પ્રભાવના અંગ છે. ૮. વાત્સલ્ય પોતાના સ્વરૂપમાં, જિનધર્મમાં વા ધર્માત્મામાં અતિ પ્રીતિભાવ તે વાત્સલ્ય છે.
શુદ્ધ ચિદાનંદઆત્માનો પ્રેમ હોય તેને વિભાવનો તથા નિમિત્તનો પ્રેમ ન હોય. ધર્મને વિકલ્પ ઊઠે તો જિનધર્મમાં અથવા ધર્માત્મા જીવોમાં પ્રતિભાવ થાય. આ રીતે સમ્યત્વના આ આઠ અંગ જાણવા. નિશ્ચયનયથી સમકિતીના આઠ અંગઃ
૧) નિઃશંકત્વઃ તે પોતાના આત્મામાં નિઃશંક અને નિર્ભય થઈને રહે છે તે નિઃશંકિત અંગ છે. ૨) નિકાંક્ષિત્વ અંગ: તે અતીન્દ્રિય આનંદમાં મગ્ન રહે છે એ નિઃકાંક્ષિત્વ અંગ છે. ૩) નિર્વિચિકિત્સત્વ: આત્મસ્વરૂપની મગ્નતામાં સામ્યભાવનું અવલંબન કરે છે તે નિર્વિચિકિત્સત્વ અંગ છે. ૪) અમૂઢ દટિવઃ આત્મસ્વરૂપમાં મૂઢતારહિત છે. યથાર્થ આત્મબોધ સહિત છે, તે અમૂઢદષ્ટિ અંગ
૫) ઉપગૂહન અંગઃ આત્મિક સ્વભાવની સ્થિરતામાં લીન છે. પરભાવને ગ્રહણ કરતાં નથી તે ઉપગૂહન અંગ છે. ૬) સ્થિતિકરણઃ આત્મામાં પોતાના જ ષટકારકથી આત્મા દ્વારા સ્થિર છે તે સ્થિતિકરણ અંગ છે. ૭) પ્રભાવના આત્મિક પ્રભાવના વિકાસમાં કાળજી રાખે છે તે પ્રભાવના અંગ છે. ૮) વાત્સલ્ય : આત્મ આનંદમાં ભ્રમરની જેમ આસક્ત છે તે વાત્સલ્ય અંગ છે.
આ પ્રમાણે સમ્યકત્વના આઠ અંગ કે આઠ ગુણ જાણવા. આ અંગો વિના સમ્યગ્દર્શન નિર્મળ સકળ કાર્યકારી થતું નથી. મિથ્યાદષ્ટિને પણ વ્યવહારરૂપ નિઃશંકિત આદિ અંગો હોય છે પરંતુ જેવા નિશ્ચયથી સાપેક્ષતા સહિત સમ્યગ્દષ્ટિને હોય છે તેવાં હોતાં નથી. ૫. સમ્યકત્વી ૨૫ દોષ રહિત હોય છે?
સમ્યકત્વમાં ૨૫ મળ હોય છે તે આ પ્રમાણે છે. ૧) શંકાદિ આઠ દોષ ૨) આઠ મદ ૩) ત્રણ મૂઢતા ૪) છ અનાયતન ૧) શંકાદિ આઠ દોષઃ (૧) શંકા (૨) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) મૂઢદષ્ટિ
(૫) દોષદષ્ટિ (૬) અસ્થિરતા (૭) અપ્રભાવના (૮) અવાત્સલ્ય.