________________
૪૧૩
એમ કેટલાક જીવો માને છે તે પણ ભૂલ છે. જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત્ છે અને પરથી અતત્ છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે; પરણેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પરણેય હાજર હોય છે, પણ તે પરવસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ માનનારે જીવને તત્ત્વમાન્યું નથી. જો ઘડાથી ઘડા સંબંધી જ્ઞાન થતું હોય તો અણસમજુ જીવ હોય તેની પાસે ઘડો હોય ત્યારે તેને તે ઘડાનું જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી, માટે જ્ઞાન પોતાથી થાય છે એમ સમજવું. જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્ત્વ થઈ જાય.
પણ એમ બને નહિ. ૨. ચાર લક્ષણો - શ્રદ્ધાન સમ્યક્ત્વનું કારણ
૧) દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન ૩) સ્વ-પરનું શ્રદ્ધાન ૨) જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન ૪) આત્મશ્રદ્ધાન - એ બધા લક્ષણોને સમ્યકત્વનું લક્ષણ કહ્યું છે.
આ ચાર લક્ષણો કહ્યાં તેમાં સાચી દષ્ટિપૂર્વક કોઈ એક લક્ષણ ગ્રહણ કરતાં ચારે લક્ષણોનું ગ્રહણ થાય છે તો પણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યા છે. ૧. જ્યાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કરી છે, કારણ કે
અરહંત દેવાદિકનું શ્રદ્ધાન સાચાતત્ત્વાર્થ શ્રદ્ધાનનું કારણ છે તથા કુદેવાદિકનું શ્રદ્ધાન કલ્પિત અતત્વાર્થ શ્રદ્ધાનનું કારણ છે, એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવાદિકનું શ્રદ્ધાને છોડાવી સુદેવાદિકનું શ્રદ્ધાન
કરાવવા અર્થે દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. ૨. જ્યાં તત્ત્વાર્થ શ્રદ્ધાનું લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે જો એ તત્ત્વોને ઓળખે તો વસ્તુના
યથાર્થ સ્વરૂપનું વા હિત-અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે. ૩. જ્યાં સ્વ-પર ભિન્નતા શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં જે વડે તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ થાય તે
શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. કારણ કે જીવ-અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ-પરને ભિન્ન શ્રદ્ધાન કરવા એ છે અને આસ્રવાદિકના શ્રદ્ધાનનું પ્રયોજન રાગાદિક છોડવા એ છે એટલે સ્વપરની ભિન્નતાનું શ્રદ્ધાન થતાં પરદ્રવ્યોમાં રાગાદિક ન કરવાનું શ્રદ્ધાન થાય છે. એ પ્રમાણે તત્ત્વાર્થ
શ્રદ્ધાનનું પ્રયોજન સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનથી સિદ્ધ થવું જાણી એ લક્ષણ કહ્યું છે. ૪. જ્યાં આત્મશ્રદ્ધાનું લક્ષણ કહ્યું છે ત્યાં સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો એટલું જ છે કે
પોતાને પોતારૂપ જાણવો. પોતાને પોતારૂપ જાણતાં પરનો પણ વિલ્પ કાર્યકારી નથી એવા મૂળભૂત પ્રયોજનની પ્રધાનતા જાણી આત્મશ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. એ જુદાં જાદ ચાર લક્ષણો કહ્યાં તેમાં આ જીવ ક્યા લક્ષણને અંગીકાર કરે?
જ્યાં પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટતાં વિપરીતાભિનિવેશનો અભાવ થાય છે ત્યાં તો એ ચારે