SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૧. સમ્યગ્દર્શનનું લક્ષણ : ૪૧૨ સમ્યક્ત્વ અને સમકિતીના લક્ષણો ‘‘તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સભ્ય વર્શનમ્ ’’ અર્થ : તત્ત્વ (વસ્તુ)ના સ્વરૂપ સહિત અર્થ - જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. ટીકા : ૧. તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે.‘અર્થ’ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય. ‘તત્ત્વ’ એટલે તેનો ભાવ - સ્વરૂપ; સ્વરૂપ (ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. ૨. આ સૂત્રમાં સમ્યગ્દર્શનને ઓળખવાનું લક્ષણ આપ્યું છે. સમ્યગ્દર્શન લક્ષ્ય અને તત્ત્વાર્થ શ્રદ્ધા તેનું લક્ષણ છે. ૩. કોઈ જીવને ‘આ જાણપણું છે, આ શ્વેત વર્ણ છે’ઇત્યાદિ પ્રતીતિ તો હોય, પરંતુ દર્શન-જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું તથા પુદ્ગલ મારાથી ભિન્ન(જુદો) પદાર્થ છે, એવું શ્રદ્ધાન ન હોય તો ઉપર કહેલા માત્ર ‘ભાવ’નું શ્રદ્ધાન જરા પણ કાર્યકારી નથી. ‘હું આત્મા છું’ એવું શ્રદ્ધાન કર્યું પણ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું શ્રદ્ધાન કર્યું નહિ, તો ‘ભાવ’ના શ્રદ્ધાન વિના આત્માનું શ્રદ્ધાન ખરું નથી; માટે ‘તત્ત્વ’ અને તેના ‘અર્થ’નું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. ૪. બીજો અર્થ : જીવાદિને જેમ ‘તત્ત્વ’ કહેવામાં આવે છે તેમ ‘અર્થ’ પણ કહેવામાં આવે છે; જે તત્ત્વ છે તે જ અર્થ છે અને તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. જે પદાર્થ જેમ અવસ્થિત છે તેમ તેનું હોવું તે તત્ત્વ છે અને અર્થતે કહેતાં નિશ્ચય કરીએ તે અર્થ છે. તેથી તત્ત્વસ્વરૂપનો જે નિશ્ચય તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. ૫. વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમ્યગ્દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી એમ બતાવવા માટે ‘દર્શન’ પહેલાં ‘સમ્યક્’ પદ વાપર્યું છે. જીવ-અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. ૬. નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભેદદષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે. ૭ ‘તત્ત્વ’ શબ્દનો મર્મ : ‘તત્ત્વ’ શબ્દનો અર્થ ત૫ણું - તેપણું થાય છે. દરેક વસ્તુને સ્વરૂપથી તપણું અને પરરૂપથી અતપણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તત્પણું છે અને પરના સ્વરૂપથી અતપણું છે. જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે એ અન્ય સર્વ વસ્તુઓ શેય છે, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી ભિન્ન છે. જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અતત્ હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહિ. ‘ધડાનું જ્ઞાન ઘડાના આધારે થાય છે’
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy