SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ભાવાર્થ આત્મજ્ઞાની ગુરુનો ઉપદેશ સાંભળી સ્વસ્વરૂપ વિચારતાં પૂર્વે કદી નહિ થયેલું આત્મજ્ઞાન પ્રગટ્ય અને પોતાની જ્ઞાનદશા પોતાના આત્મામાંથી પોતે પ્રગટ કરી અને અજ્ઞાનદશા ટાળી. ગાથા ૧૨૦ ભાસું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. ભાવાર્થ આત્માનું સ્વરૂપ તે ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, જરા (ઘડપણ) ન પહોંચે તેવું, મરે નહિ તેવું, નાશ ન થાય તેવું અને દેહથી તદ્દન જુદું છે એમ જ્ઞાનમાં સ્વરૂપ ભાસ્યું, શ્રદ્ધા થઈ, અનુભવ થયો. આત્મજ્યોતિ પ્રગટ થઈ, આત્મજ્ઞાન થયું. ગાથા ૧૨૧: કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. ભાવાર્થ : મિથ્યાત્વ જ્યાં વર્તે છે ત્યાં વિકારી ભાવોનો જીવ કર્તા-ભોક્તા છે. આત્મસ્વભાવમાં પર્યાય વળી ત્યારે જીવ વિકારી ભાવોનો અકર્તા થાય છે, કર્તા-ભોક્તા થતો નથી. ગાથા ૧૨૨ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા-ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ભાવાર્થ: બીજી રીતે કહેતાં આત્માનું જેવું શુદ્ધ ત્રિકાળી ચેતના સ્વરૂપ છે તેવી જ પોતાની શુદ્ધ અવસ્થા પર્યાયમાં પ્રગટ થઈ પામ્યો અને તેના તે સ્વભાવનો કર્તા-ભોક્તા થયો અને વિકલ્પ વિનાનું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું. ગાથા ૧૨૩ઃ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ભાવાર્થ પોતાની પૂર્ણ પવિત્રતાને મોક્ષ કહેવામાં આવે છે, તે શુદ્ધતા જે રીતે પમાય તે તેનો ઉપાય છે અને તે વીતરાગી બધો માર્ગ ટુંકમાં સદ્ગુરુએ અહીં સમજાવ્યો છે. ગાથા ૧૨૪: અહો! અહો! શ્રી સદગુરુ, કરુણા સિધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો અહો! અહો! ઉપકાર. ભાવાર્થ અહો! અહો! આત્મલક્ષીયુક્ત આપ વીતરાગી કરુણાના અપાર સમુદ્ર છો ! આપ પ્રભુએ આ પામર જીવ ઉપર મહા આશ્ચર્યકારક ઉપકાર કર્યો છે. ગાથા ૧૨૫: શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ભાવાર્થ હું આપના ચરણ આગળ શું ધરું? (આપ પરમ નિષ્કામ છો), જગતના સર્વ પદાર્થો આત્માની અપેક્ષાએ હીન છે. અને તેવો શુદ્ધ આત્મા તો આપ સગુરુ પ્રભુએ સમજાવ્યો, માટે હવે આપના ચરણ અર્થાત્ આપે સમજાવેલ આત્મસ્વરૂપને આધીન વતું, સ્વભાવમાં જ રહું. ગાથા ૧૨૬ : આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું આપ પ્રભુને દાન. ભાવાર્થ: આ દેહ વગેરે આપ સદ્ગુરુ પ્રભુની આજ્ઞા મુજબ આજથી વર્તો એવી મારી ભાવના છે, અર્થાત્ દહે કે પરવસ્તુનું હું કાંઈ કરી શકું નહિ એવી જે આપે આજ્ઞા સમજાવી છે તે માની તે પ્રમાણે વર્તે. તેવા જ્ઞાની પુરુષોનો હું નમ્ર દાસ, દાસ, દાસ છું, અર્થાત્ ત્રણ વખત ‘દાસ’ કહ્યું છે એ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતાની ભાવના સૂચવે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy