________________
૪૦૩ ગાથા ૯૬ઃ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજુ મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ભાવાર્થ: પ્રથમ પાંચ પ્રશ્નોના તમારા ઉત્તરથી (જવાબથી) અને સમાધાન પૂરેપૂરું થયું પણ મોક્ષનો માર્ગ હું સમજું તો કાયમી શુદ્ધ અવસ્થા જરૂર પ્રગટે. મોક્ષની પ્રાપ્તિ થાય. તો કૃપા કરીને મને મોક્ષનો ઉપાય બતાવો. સમાધાનઃ ગાથા ૯૭ઃ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ભાવાર્થઃ પાંચે સમાધાનની તારા આત્મામાં જેમ શ્રદ્ધા થઈ એ રીતે મોક્ષમાર્ગની શ્રદ્ધા તારા પોતાથી જ સહેલાઈથી થશે. ગાથા ૯૮ કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ભાવાર્થ પરનું હું કરી શકું એવો ભાવ એ અજ્ઞાન છે અને પોતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષભાવ છે. અજ્ઞાન અંધારા જેવું છે તે સાચા જ્ઞાનના પ્રકાશથી ટળી જાય છે. ગાથા ૯૯ઃ જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. ભાવાર્થ જે જે કારણ બંધના છે એટલે કે શુભાશુભ ભાવ એ સંસારનો માર્ગ છે અને તેવા ભાવોને છેદનારી દશા તે મોક્ષનો માર્ગ છે અને તે ભવનો નાશ કરે છે. ગાથા ૧૦૦ઃ રાગ, દ્વેષ, અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથથાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ભાવાર્થ અજ્ઞાન -પરનું હું કરી શકું એવી ભ્રમણારૂપ ખોટું જ્ઞાન, રાગ -પરવસ્તુથી લાભ થાય એવી માન્યતાપૂર્વકની પ્રીતિ, દ્વેષ -પરવસ્તુથી નુકસાન થાય એવી માન્યતાપૂર્વકની અપ્રીતિ તે ભાવકર્મની મૂળ ગાંઠ છે. જે વડે તેનાથી પાછા ફરવાનું થાય તે જ પવિત્રતાનો માર્ગ છે. ગાથા ૧૦૧ આત્મા સ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ તે રીત. ભાવાર્થ આત્મા ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ બધા પ્રકારના વિકારી ભાવો અને દેહ વગેરે સંયોગો વગરનો છે. આ ત્રિકાળી સ્વરૂપના લક્ષે શુદ્ધ આત્મા પ્રગટે છે. મોક્ષના ઉપાયની આ જ રીત છે. ગાથા ૧૦૨: કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ભાવાર્થ જડકર્મ અનંત પ્રકારના છે. તેમાં જ્ઞાનાવરણાદિ મુખે આઠ છે. તે આઠમાં મુખ્ય મોહ છે. તે કેવી રીતે ટળે તેનો પાઠ કહું છું. ગાથા ૧૦૩: કર્મ મોહનીય ભેદ બે, દર્શન-ચારિત્રનામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ભાવાર્થ આ મોહનીય કર્મના બે ભેદ છે. તેના નામ દર્શનમોહ અર્થાત્ મિથ્યાત્વ અને ચારિત્રમોહ છે. સમ્યક બોધ મિશ્રદર્શનને ટાળે છે અને વીતરાગતા એ ચારિત્રમોહને ટાળે છે. આ રીતે નિયમરૂપ છે, એટલે અફર છે.