SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ સમાધાન-સદ્ગુરુ ઉવાચ: ગાથા ૪૯: ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાવાર્થઃ જીવ અને દેહ એક છે એવી અવળી માન્યતાથી અર્થાત્ જીવ દેહનું કાર્ય કરી શકે એવી ખોટી માન્યતાથી આત્મા અને દેહ એકરૂપ ભાસે છે પણ તેઓ બન્ને જુદા છે એટલે એકબીજાનું કાંઈ કરી શકતા નથી એમ ઉઘાડી નિશાનીઓ વડે ભાન થાય છે. ગાથા ૫૦ઃ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિને માન. ભાવાર્થ જીવ અને દેહ એક છે એવા અનાદિકાળના અજ્ઞાનથી એટલે કે જીવ દેહનું કામ કરી શકે છે એવી ઊંધી માન્યતાથી આત્મા અને દેહ એકરૂપ ભાસે છે પણ તેઓ બન્ને જુદા છે એટલે કે એકબીજાનું કાંઈ કરી શકતા નથી, જેમ તરવાર અને મ્યાન જુદા છે તેમ, અર્થાત્ તરવારનું કામ મ્યાન કરી શકે નહિ અને માનનું કામ તરવાર કરી શકે નહિ તેમ. ગાથા ૫૧ઃ જે દટા છે દઝિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ભાવાર્થ : જે આંખનો જાણનાર છે અને જે રંગનો જાણનાર છે તથા કોઈના રોક્યા વગર જેમ છે તેમ જ્ઞાનનો જે જાણનાર રહે છે તે જ જીવનું સ્વરૂપ છે અર્થાત્ જીવ કોઈની મદદ વગર સ્વતંત્રપણે પોતાને અને પરને જેમ છે તેમ જાણે છે. ગાથા પર છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રિયના વિષયનું, પણ આત્માને ભાન. ભાવાર્થ: દરેક ઇન્દ્રિયને પોતપોતાને લાયક પદાર્થોનું જ્ઞાન થાય છે પણ પાંચે ય ઇન્દ્રિય દ્વારા જણાતા પદાર્થોનું એકલા આત્માને જ જ્ઞાન થાય છે. ઇન્દ્રિય જડ છે તેથી તે જ્ઞાન કરતી નથી પણ જ્ઞાનમાં નિમિત્ત છે તેથી ઇન્દ્રિયને જ્ઞાન થાય છે એમ ઉપચારથી કહ્યું છે. ગાથા ૫૩ દેહ ન જાણે તેહને, જાણે ન ઈંદ્રિ પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ભાવાર્થ શરીર તે પદાર્થોને જાણતું નથી. ઇન્દ્રિયો અને પ્રાણ (શ્વાસોશ્વાસ) પણ તેને જાણતા નથી. આત્માની જ્યાં સુધી હાજરી હોય ત્યાં સુધી શરીર, ઇન્દ્રિયો અને શ્વાસોશ્વાસ પોતપોતાથી પ્રવર્તે છે એમ જાણવું. ગાથા ૫૪ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એધાણ સદાય. ભાવાર્થ : બધી દશાઓમાં આત્મા સદાય જુદો જણાય છે અને સ્પષ્ટ-પ્રત્યક્ષ જ્ઞાન-દર્શનપણું તે તેનું ત્રિકાળ ચિત છે. ગાથા ૫૫ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહિયે કેવું જ્ઞાન? ભાવાર્થ : હે શિષ્ય ! તું ઘડા, વસ્ત્ર વગેરેને જાણે છે તેથી તે છે એમ હું માને છે, પણ તેના જાણનારને તું માનતો નથી; એ તારા જ્ઞાનને કેવું કહેવું?
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy