SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ગાથા ૨૬ઃ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમૂખ, અસદ્ગુરુને દઢ કરે, નિજમાનાર્થે મુખ્ય. ભાવાર્થ સાક્ષાત સદ્ગુરુના મેળાપ વખતે પોતાની દૃષ્ટિ તેમનાથી તદ્ધવિરોધવાળી રાખે છે અને મુખ્યપણે પોતાની મોટાઈ વધારવા માટે અજ્ઞાની ગુરુને જોરથી સ્થાપન કરે છે. ગાથા ૨૭ઃ દેવાદિ ગતિ ભંગમાં, જે સમયે શ્રુતજ્ઞાન; માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ભાવાર્થ દેવ, મનુષ્ય, નારકી, તિર્યંચની ગતિના ભેદો જાણવા તેને જે શ્રુતજ્ઞાન અર્થાત્ પ્રયોજનભૂત જ્ઞાન સમજે છે, તથા પોતાના વાડાના વેશની ખોટી પડને મોક્ષનું કારણ માને છે. ગાથા ૨૮ઃ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ભાવાર્થ: પોતાની વર્તમાનદશાનું ભાન નથી (હું જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છું) અને લોકમાં મોટા થવા માટે હું વ્રતધારી છું’ એવું અભિમાન ધારણ કરે છે, તે આત્માના સાચા સ્વરૂપને ગ્રહણ કરતો નથી. તેનો અનુભવ કરતો નથી. ગાથા ૨૯: અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ભાવાર્થ અથવા હું ત્રિકાળી શુદ્ધ છું એવું ફક્ત શબ્દોમાં કથન કર્યા કરે છે અને સાચા પુરુષાર્થને ઉથાપે છે અર્થાત્ સમજણપૂર્વક રાગ-દ્વેષ ઘટાડતો નથી; તે સાધન વગરનો થાય છે. ગાથા ૩૦ઃ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા નકાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહિ. ભાવાર્થ તેવા જીવો સાચી સમજણ પામતા નથી, તેમ જ સાચી સમજણના ઉપાય કાંઈ કરતાં નથી; અને તેનો જે જીવ સંગ પામે છે તેઓ બન્ને અનંત સંસાર વધારે છે. ગાથા ૩૧ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિકાજ; પામે નહીં પરમાર્થને, અન અધિકારીમાં જ, ભાવાર્થ વળી તે જીવો ઊધા જ્ઞાનમાં પોતાના માન વગેરે માટે અટક્યા છે. જેથી તેઓ આત્માના સાચા સ્વરૂપને પામતા નથી; તેઓ ધર્મ માટે અપાત્ર છે, અધિકારી નથી, લાયક નથી. ગાથા ૩૨ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ભાવાર્થ : જેમના ક્રોધ, માન, માયા, લોભ શાંત થયા નથી (જેઓ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ઠારતા નથી), જેના અંતરમાં ઉદાસીનતા નથી, સરળપણું અને પક્ષપાત રહિતપણું નથી - એ બધા લક્ષણો આગ્રહીની માઠી દશા સૂચવે છે. ગાથા ૩૩ લક્ષણ કહ્યા મતાર્થીના, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીના, આત્મ અર્થ સુખસાજ. ભાવાર્થઃ ઊંધા જ્ઞાનની પકડ છોડવા માટે મતાથીપણું ઓળખવાની નિશાનીઓ કહી છે. હવે સુખ સ્વરૂપ આત્માના લાભ માટે આત્માર્થીના લક્ષણ કહેવામાં આવે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy