________________
૩૯૩ ગાથા ૧૮: માનાદિક શત્રુ મહા, નિજ છેદન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ભાવાર્થ પરનું હું કરી શકું એવું અભિમાન, પોતાના સ્વરૂપની અરુચિ વગેરે જીવના મોટા શત્રુ છે, તે પોતાની ઊંધી માન્યતા વડે નાશ થતાં નથી પણ જ્ઞાની પુરુષે સમજાવેલા જ્ઞાનના શરણમાં જતાં સહજ પુરુષાર્થથી ટળે છે. ગાથા ૧૯ઃ જે સદ્દગુરુ ઉપદેશથી, પામો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છઘસ્થ પણ, વિનય કરે ભગવાન. ભાવાર્થ: જે સદ્ગુરુના ઉપદેશથી પૂર્ણજ્ઞાન પામ્યો અને ગુરુ અપૂર્ણ જ્ઞાનમાં રહ્યા તો પણ કેવળજ્ઞાની ભગવાન વીતરાગી વિનય કરે છે, અર્થાત્ પૂર્વે એ તેમના ગુરુ હતાં અને તેમનાથી પોતે ધર્મ પામ્યા છે એમ તેઓ જાણે છે. ગાથા ૨૦ઃ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ભાવાર્થ: આવો માર્ગ સાચા જ્ઞાનનો (જાણવાન) છે એમ શ્રી વીતરાગે કહ્યું છે. એ માર્ગનું મૂળ કારણ જે જે સાચો પુરુષાર્થ કરે છે તે તે સમજે છે. ગાથા ૨૧ઃ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહા મોહિની કર્મથી બુડે ભવજળ માંહિ. ભાવાર્થ: ખોટા ગુરુ, શિષ્યાદિ પાસે ભગવાને કહેલા જ્ઞાનમાર્ગનો જો કાંઈ પણ ગેરલાભ લે અર્થાત્ પોતામાં સદ્ગુરુપણું જો સ્થાપે, તો આકરા મિથ્યાત્વરૂપી પોતાના કાર્યથી સંસારના ભવરૂપી દરિયામાં ડૂબી જાય અર્થાત્ અનંત કાળનું નિગોદપણું પામે. ગાથા ૨૨ હોય મુમુક્ષુ જીવતે, સમજે એહ વિચારહોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ભાવાર્થ: જે જીવ મુક્તિનો સાચો કામી છે તે આ વિચાર બરાબર સમજે છે અને જે જીવ પોતાની ઊંધાઈને પકડી રાખનારો છે તે ઊંધો નિર્ણય કરે છે. ગાથા ૨૩ હોય મતાથી તેહને, થાય ન આતમલક્ષ; તેહમતાર્થી લક્ષણો, અહીં કહ્યા નિર્પણ. ભાવાર્થ : જે મતાર્થી (જેને પોતાના મતનો આગ્રહ છે) તેને આત્મજ્ઞાન થતું નથી તે ઊધી પકડવાળા જીવોને ઓળખવાના ચિહ્નો અહિયા કોઈનો પક્ષ ખેઆ (રાગ-દ્વેષ ક્ય) વગર કહેવામાં આવે છે. ગાથા ૨૪: બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે મને ગુરુ સત્ય; અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ભાવાર્થ: જેને બહારના સંયોગોનો ત્યાગ છે પણ આત્માનું સાચું જ્ઞાન નથી, તેવાને તે સાચા ગુરુ માને છે અથવા પોતાના બાપ-દાદાએ માનેલા ધર્મના ગુરુમાં જ તેઓ મારાપણું કરે છે, તેમને જ સાચા માને છે. ગાથા ૨૫: જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ભાવાર્થઃ જે જિનેશ્વર ભગવાનના શરીરના માપ વગેરેને અને ધર્મસભા વગેરે પુણ્યના ઠાઠને વીતરાગદેવનું સ્વરૂપ સમજે છે તે પોતાના જ્ઞાનને તેમાં રોકી રાખે છે, અર્થાત્ વીતરાગના સાચા સ્વરૂપને સમજવા પોતાની બુદ્ધિને લઈ જતાં નથી.