SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ક્રિયા ઉદય પ્રમાણે થાય છે અર્થાત્ જીવ તે કરી શકતો નથી એમ જાણે છે. જેની વાણી પૂર્વે, કદી નહિ સાંભળેલા એવા ન્યાયોથી ભરેલી છે, જેને ઊંચું શ્રુતજ્ઞાન પ્રયોજનભૂત જ્ઞાન) છે; તે સદગુરુના યોગ્ય લક્ષણ છે. ગાથા ૧૧ઃ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર. ભાવાર્થ : સાક્ષાત સરુના ઉપકાર જેવો હાજર નહિ તેવા જિન ભગવાનનો ઉપકાર નથી એવું લક્ષ થયા વિના પોતાના સ્વરૂપનો વિચાર ઉત્પન્ન થતો નથી. ગાથા ૧૨ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ સમજ્યા વાણ ઉપકાર શો? સમજ્ય જિન સ્વરૂપ. ભાવાર્થઃ જિનેશ્વર ભગવાનનું સાચું સ્વરૂપ આત્મજ્ઞાની ગુરુના ઉપદેશ વિના સમજાતું નથી અને સમજ્યા વગર લાભ શો ? એટલે કે લાભ થતો નથી. જો જીવ સમજે તો પોતે જ અજ્ઞાન, રાગ-દ્વેષને જીતનાર જિનસ્વરૂપને પ્રગટ કરે છે. આત્મજ્ઞાન પ્રગટ કરે છે, ત્યારે ઉપકારનો ઉપચાર આવે છે. ગાથા ૧૩ આત્માદિ અસ્તિત્ત્વના, એહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષસદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ભાવાર્થ : જીવ, અજીવ આદિ નવ તત્ત્વોનું જેવું સ્વરૂપ છે તેવું કહેનારા જે શાસ્ત્રો છે તે હાજરાહજૂર સદ્ગુરુનો મેળાપ ન હોય ત્યારે લાયક જીવને આધારરૂપ છે. ગાથા ૧૪ અથવા સદ્દગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ભાવાર્થ અથવા તો જે સદ્ગુરુ ભગવાને ઊંડા વિચારવા માટે આજ્ઞા કરી હોય તે તે શાસ્ત્રો, પોતાનો જૂનો આગ્રહ છોડીને હંમેશા આત્માના અર્થે વિચારવા. સ્વરૂપ સમજવા સ્વાધ્યાય કરવો. ગાથા ૧૫ રોકે જીવ સ્વચ્છંદતો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ભાવાર્થ : જો જીવ પોતાની ઊંધી માન્યતા ટાળે તો પોતાની પૂર્ણ પવિત્રતા પ્રગટ કરે. એ રીતે અનંત જીવોએ પૂર્ણ પવિત્રતા પ્રગટ કરી છે એવું દોષ વિનાના અજ્ઞાન અને રાગ-દ્વેષ ટાળનારા જિન ભગવાને કહ્યું છે, વીતરાગ પ્રભુએ કહ્યું છે. ગાથા ૧૬: પ્રત્યક્ષ સદ્ગુરુયોગથી, સ્વચ્છંદતે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ભાવાર્થ : સાક્ષાત્ સદ્ગુરુના ઉપદેશને ગ્રહણ કરવાથી તે પોતાની ઊંધી માન્યતા(મિથ્યાત્વ) ટળે છે, બીજા ઉપાય, ઇલાજ, સાધના કરવાથી ઘણું કરીને એ ઊધી માન્યતા બમણી થાય છે. અજ્ઞાનીના ઉપદેશથી મિથ્યાત્વ વધે છે. ગાથા ૧૭ સ્વચ્છંદમત, આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ભાવાર્થ પોતાની ઊધી માન્યતા, પોતાનું ઊંધું જ્ઞાન અને તેની પકકડ છોડી દઈને સદ્ગુરુએ સમજાવેલા આત્મજ્ઞાનને અનુસરે તેને સીધું કારણ ગણીને સમ્યકત્વ (સાચી માન્યતા) જ્ઞાનીઓએ કહ્યું છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy