SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શરીરની કોઈ પણ ક્રિયા, શુભ ભાવરૂપ ભક્તિ આદિતથા દયા, દાન, વ્રત, તપ, જપના ભાવ તેમજ શાસ્ત્ર સ્વાધ્યાય, શ્રવણ, તત્ત્વનો વિચાર આદિ બધા જ શુભ ભાવ છે. તે વિકલ્પ છે, વિકારી ભાવ છે. તેનાથી આત્માની પ્રાપ્તિ ન થાય. ૬. વિનયઃ વિનય બે પ્રકારના છે. (૧) વીતરાગી વિનય (૨) સમ્યગ્દષ્ટિનો સરાગી વિનય. ગાથા ૧૯માં પહેલાં પ્રકારનો વિનય બતાવ્યો છે. આ વિનયમાં વંદ્ય-વંદકભાવ હોતો નથી. બીજા પ્રકારનો વિનય ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે, ત્યાર પછી હોતો નથી; કેમ કે સાતમા ગુણસ્થાને કે ઉપરની દશામાં વંદ્ય-વંદક ભાવ હોતો નથી. અજ્ઞાનીને એક પ્રકારનો સાચો વિનય હોતો નથી પણ વિનાયાભાસ (બાળવિનય) હોઈ શકે છે. ૭. સ્વાધ્યાય કરનારાઓને ભલામણ જે જે વિષય આ શાસ્ત્રમાં આવ્યા છે તેનો ભાવ બરાબર સમજીને સ્વાધ્યાય કરવો. જો તેમ કરવામાં ન આવે અને માત્ર શબ્દો જ બોલી જવામાં આવે તો આત્માને ધર્મનો લાભ મળી શકતો નથી - એ ખાસ લક્ષમાં રાખી સાચા ધર્મનો લાભ થાય તેવી રીતે આ શાસ્ત્રનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો. તો આત્માની સિદ્ધિ થવા માટે આ નિમિત્ત છે. ૮. સમજવા નીચે પ્રમાણે આઠ ભાગ કરવામાં આવ્યા છે. ૧. પ્રસ્તાવના ૧ થી ૮ ૨. સદ્ગુરુનું માહાત્મ ૯ થી ૨૨ ૩. મતાર્થીના લક્ષણ ૨૩ થી ૩૨ ૪. આત્માર્થીના લક્ષણ ૩૩ થી ૪૨ ૫ છ પદની શંકા - સમાધાન ૪૩ થી ૧૦૮ ૬. સમ્યકત્વની પ્રાપ્તિ ૧૦૯ થી ૧૧૮ ૭. શિષ્ય બોધબીજની પ્રાપ્તિ ૧૧૯ થી ૧૨૭ ૮. ઉપસંહાર ૧૨૮ થી ૧૪૨. આત્મસિદ્ધિ શાસ્ત્ર (ગાથા ૧ થી ૧૪૨) : ગાથા ૧: જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ભાવાર્થ જે પોતાના આત્માનો સ્વભાવ છે તે સમજ્યા વગર મેં પાર વિનાનું દુઃખ ભોગવ્યું તે આત્માની જેણે સમજણ જેણે આપી એવા આત્મલક્ષ્મીવંત જ્ઞાની ગુરુ ભગવાનને હું નમસ્કાર કરું છું.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy