________________
૨૨ થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું;
સમ્યક્ત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. દગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય સુનિક જે;
તે જીવ વંદન યોગ્ય છે, ગુણધર તણા ગુણવાદી જે. જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે;
સંયમ તણો ધારક ભલે તે હોય પણ કુદષ્ટિ છે. જે અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને;
મિથ્યાભિમાન કરે અરે ! તે જીવ દષ્ટિવિહીન છે.. વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે;
બન્ને સમાનપણું ધરે, એકે ન સંયમવંત છે. નહિ દેહ વંદ્ય, ન વંદ્ય કુલ, નહિ વંદ્ય જન જાતિ થકી;
ગુણહીન ક્યમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. સમ્યકત્વસંયુત શુદ્ધભાવે વંદુ છું મુનિરાજને;
તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા શિવગમનને. ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે;
બહુજીવહિતક સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. સંયમ થકી વા જ્ઞાન-દર્શન-ચરણ-તપ છે ચાર જે;
એ ચાર કેરા યોગથી મુક્તિ કહી જિનશાસને. રે! જ્ઞાન નરને સાર છે, સમ્યકત્વનરને સાર છે;
સમ્યક્ત્વથી ચારિત્રને ચારિત્રથી મુક્તિ લહે. દગ-જ્ઞાનથી સમ્યકત્વયુક્ત ચારિત્રથી ને તપ થકી;
એ ચારના યોગે જીવી સિદ્ધિ વરે, શંકા નથી. કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને;
સુર-અસુર કેરા લોકમાં સમ્યકત્વરત્ન પુજાય છે. રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુજત્વેન જીવ પામીને;
સંપ્રાપ્ત કરી સમ્યકત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪ ચોત્રીસ અતિશયયુક્ત, અષ્ટ સહસ્ત્ર લક્ષણધરપણે;
જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે બિંબ સ્થાવર ઉક્ત છે. ૩૫ દ્વાદશા તપે સંયુક્ત નિજ કર્મો ખપાવી વિધિબળે;
વ્યત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને.